ગેરવર્તન કરનારા તબ્લિગી જમાતના લોકોને ગોળી મારી ઠાર કરો : રાજ ઠાકરે
રાજ ઠાકરે
કાકા બાળાસાહેબ ઠાકરેથી છુટા પડી પોતાનો નોખો ચોકો માંડી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) સ્થાપનાર રાજ ઠાકરે પણ કાકા બાળાસાહેબ ઠાકરે જેવાં તેજાબી ભાષણ કરવા જાણીતા છે. ગઈ કાલે તેમણે લીધેલી પત્રકાર પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘મોદીએ દીવો પ્રગટાવવા લોકોને અનુરોધ કર્યો છે. દીવો પ્રગટાવવો એ શ્રદ્ધા-અંધશ્રદ્ધાનો વિષય હોઈ શકે. આને બદલે તેમણે લોકોને કોરોનાની ખરી હકીકત પ્રત્યે ધ્યાન દોરી લોકોમાં આશાનું કિરણ જગાવવું જોઈતું હતું. એ સિવાય છેલ્લા ત્રણ-ચાર દિવસથી તબ્લિગી જેવાઓ તરફથી થઈ રહેલાં ગેરકૃત્યો બાબતે પણ તેમણે કહેવું જોઈતું હતું.
કોરોનાના કેસ દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં જે રીતે વધી રહ્યા છે એ જોતાં એ ચિંતાનો વિષય છે ત્યારે કેટલાક ઘૃણાસ્પદ બનાવો બની રહ્યા છે. તબ્લિગી જમાતના મર્કઝમાં જે બન્યું એ પછી તેમને ગોળીએ દઈ દેવા જોઈતા હતા. તે લોકોને ટ્રીટમેન્ટ શું કામ આપો છો? જો તે લોકોને દેશ કરતાં ધર્મ વધુ મહત્ત્વનો લાગતો હોય અથવા તો આ કોઈ કારસ્તાન લાગતું હોય તો તેમને જીવતા જ શું કામ રાખવા જોઈએ?
ADVERTISEMENT
સમાજે પણ જવાબદારી ઉપાડવાની જરૂર છે. અનેક લોકો (કોરોનાના શંકાસ્પદ દરદી) ઘરમાં છુપાઈને બેઠા છે. જો લોકો આવી જ રીતે વર્તશે તો ડૉક્ટર, પોલીસ અને મેડિકલ કર્મચારીઓએ દરેક ઘરમાં જઈ કોરોનાના દરદી શોધવા પડશે. જો ઘરના કોઈ સભ્યને લક્ષણો દેખાય તો આગળ આવીને જાણ કરો અને સારવાર લો.
જે લોકો શાકભાજી અને ફળો પર થૂંકનારા, નર્સો સામે નગ્ન થનારાઓને ધોઈ નાખવા જોઈએ. તેમના વિડિયો વાઇરલ થવા જોઈએ. તેમની સામે માત્ર કેસ કરવાથી કશું નહી વળે, આવું કરનારાઓને ગોળી મોરી દો. લૉકડાઉન થોડા દિવસ છે એ પછી તો અમે છીએ જ. આવું કૃત્ય કરનારાઓને ઠમઠોરવા જોઈએ એમ તેમણે વધુમાં કહ્યું હતું.