સ્વાભિમાન પક્ષ બીજેપીમાં વિલીન થશે
સ્વાભિમાન પક્ષ બીજેપીમાં વિલીન થશે
મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષના નેતા નારાયણ રાણેને આખરે બીજેપીમાં પ્રવેશવા માટેનું મુહૂર્ત મળી ગયું છે. વિઘ્નહર્તા ગણેશના આગમનના એક દિવસ પહેલાં એટલે કે એક સપ્ટેમ્બરે તેઓ તેમના મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષને બીજેપીમાં વિલીન કરીને બીજેપીમાં પ્રવેશ કરવાના છે. બીજેપીપ્રવેશના સમાચારને રાણેએ સમર્થન આપ્યું હતું.
બેસ્ટ જૉઇન્ટ ઍક્શન કમિટી સાતમું વેતન પંચ લાગું કરે એ માટે વડાલા ડેપો ખાતે બેમુદત ઉપવાસ પોકારવામાં આવ્યા છે. આ સમયે કામગાર નેતા શશાંક રાવની તબિયત કથળતાં નારાયણ રાણેએ ઉપવાસ પર ઊતરેલા લોકોની મુલાકાત લઈને ચર્ચા કરી હતી. ત્યાર બાદ મીડિયા સાથે વાતચીત કરતાં નારાયણ રાણેએ બીજેપીમાં પ્રવેશ માટેના સમાચારને સમર્થન આપ્યું હતું.