Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતે પ્રતિસ્પર્ધાના કારણે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી?

સુશાંતે પ્રતિસ્પર્ધાના કારણે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી?

17 June, 2020 08:04 AM IST | Mumbai
Faizan Khan

સુશાંતે પ્રતિસ્પર્ધાના કારણે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી?

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત


સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસે હવે સુશાંતે પ્રતિસ્પર્ધાના કારણે અથવા તેને અલગ પાડી દેવાયો હોવાના કારણે ડિપ્રેશનમાં આવી જઈ આત્મહત્યા કરી હોઈ શકે એ ઍન્ગલ પર હવે તપાસ ચાલુ કરી છે. રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કરેલી જાહેરાત બાદ આ ઍન્ગલમાં તપાસ ચાલુ કરાઈ છે.

સોશ્યલ મીડિયા પર એવા ઘણા મેસેજિસ ફરી રહ્યા છે કે મોટા બૅનર અને મીડિયા હાઉસ દ્વારા તેને કામ ન મળે એ માટે ગંદી રમતો રમાઈ હતી એથી તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. મુંબઈ પોલીસના એક ઉચ્ચ અધિકારીએ અપીલ કરતાં કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીના લોકો આગળ આવી અમને એ વિશે જાણ કરી તપાસમાં મદદ કરી શકે છે.



જાણીતા ડિરેક્ટર અને ઍક્ટર શેખર કપૂરે એવું ટ્વીટ કર્યું હતું કે મને ખબર છે તું કેવા દુઃખમાંથી પસાર થયો હતો. હું એ લોકોને જાણું છું જેણે તને પડતો મૂક્યો હતો. તું મારા ખભા પર માથું મૂકીને રડ્યો હતો. કદાચ હું છેલ્લા છ મહિના તારી સાથે હોત. જો તેં મારો સંપર્ક કર્યો હોત તો સારું થાત. જે થયું એ તેમનાં કર્મ છે, તારાં નહીં.


શેખર કપૂરના આ ટ્વીટને કારણે અનેકનાં ભવાં વંકાયાં હતાં. એમાં પણ જ્યારે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે ભલે ક્લિનિકલ રિપોર્ટમાં સુશાંત સિંહે ગળાફાંસો ખાવાથી તેનું મોત થયું હોય એવું બહાર આવ્યું હોય પણ એ પાછળ શું કોઈ પ્રતિસ્પર્ધાત્મક નિરાશા કે તાણ હતી એ બાબતે પોલીસ તપાસ કરશે.

એ પછી પોલીસ-અધિકારીઓની એક બેઠક થઈ હતી અને આ દિશામાં પણ તપાસ કરવાનો નિર્ણય લેવાયો હતો. સુશાંતના મૅનેજરને બોલાવી તેની ફાઇનૅન્શિયલ વિગતો અને પ્રતિસ્પર્ધાને કારણે ડિપ્રેશનમાં હતો કે કેમ એ વિશે માહિતી લેવામાં આવશે એમ પોલીસ-અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.


બીજી બાજુ બાંદરા પોલીસે આજે સુશાંતની ત્રણ બહેનોનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં હતાં. ઘટનાના દિવસે ઘરમાં હાજર મૅનેજર અને રસોઇયાના સ્ટેટમેન્ટ ઑલરેડી એક વાર લેવાયા છે એ ફરી લેવાશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે હજી સુશાંત સિંહ બાંદરાના જે મનોચિકિત્સકની સારવાર લેતો હતો તેનું ડીટેલ્ડ નિવેદન નોંધ્યું નથી. હાલ એમાં ફક્ત બેઝિક માહિતી જ મેળવાઈ છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું પણ સ્ટેટમેન્ટ પોલીસ નોંધવાની છે. સુશાંત મનોચિકિત્સક પાસે જતી વખતે તેને પણ ઘણી વાર સાથે લઈ ગયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

17 June, 2020 08:04 AM IST | Mumbai | Faizan Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK