Unlock 4.0: મેટ્રો બાદ હજી 100 નવી ટ્રેનો દોડશે
પ્રતીકાત્મક તસવીર
અનલોક 4.0 (Unlock 4.0)માં કેન્દ્ર સરકારે મેટ્રોને મંજૂરી આપવા ઉપરાંત ઘણી છૂટછાટ આપી છે. ભારતીય રેલવે (Indian Railways) પણ ઘણી ટ્રેનો ચાલુ કરી શકે છે. તહેવારોની સીઝન નજીક હોવાથી 100 નવી ટ્રેન દોડાવવાની તૈયારી છે.
હાલમાં ફક્ત 230 સ્પેશલ ટ્રેન જ દોડે છે. પ્રવાસીઓની માગને ધ્યાનમાં લેતા રેલવે ટ્રેનોમાં વધારો કરી શકે છે. આ ટ્રેન ઈન્ટરસ્ટેટ અને ઈન્ટ્રાસ્ટેટ દોડશે. જોકે રેલવે મંત્રાલય હાલ ગૃહ મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.
ADVERTISEMENT
રેલવેના સૂત્રોએ કહ્યું કે, પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થતી હોવાથી પ્રવાસીઓની માગ અને કોવિડ પરિસ્થિતિનું અવલોકન કરીને નવી ટ્રેનો દોડાવવાની વિચારણા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે અનલોક 4 અંતર્ગત સપ્ટેમ્બરનાં બીજા અઠવાડિયાથી મેટ્રો રેલ શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ તહેવારની સીઝનને લીધે રેલવે હજી 100 ટ્રેનો દોડાવવા માગે છે.
મહામારીમાં રેલવે સર્વિસીસ બંધ હોવાથી ભારતીય રેલવેને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. એક રિપોર્ટ મુજબ આ વર્ષના માર્ચ મહિનામાં 1.78 કરોડથી પણ વધુ ટિકીટ કેન્સલ થઈ છે, જેથી રેલવેએ રૂ.2,727 કરોડ પાછા આપવા પડ્યા હતા.