Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓને 22થી 24 તારીખે દિલ્હી એકઠા થવા કહ્યું

સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓને 22થી 24 તારીખે દિલ્હી એકઠા થવા કહ્યું

16 May, 2019 12:36 PM IST | નવી દિલ્હી
(જી.એન.એસ.)

સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓને 22થી 24 તારીખે દિલ્હી એકઠા થવા કહ્યું

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી


સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓને ફોન કરીને ૨૨, ૨૩ અને ૨૪ મેના દિલ્હીમાં એકઠા થવા માટે સંદેશ આપ્યો છે. કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી કદાચ એવો સંદેશો આપવા માગે છે કે ચૂંટણીમાં ભલે વિરોધી પાર્ટીઓ ગઠબંધનનો હિસ્સો ન હોય, પણ આપણે બધા મોદી સામે લડ્યા છીએ અને મોદી સામે એક છીએ.

કદાચ સોનિયા ગાંધી એવું પણ દર્શાવવા માગે છે કે જો કોઈને સ્પષ્ટ બહુમતી ન મળે એવા સંજોગોમાં કોઈ એક પાર્ટીની જગ્યાએ ગઠબંધન બનાવનારા પક્ષોને સરકાર બનાવવા માટે મોકો મળવો જોઈએ.



૨૧ મેના વિપક્ષી પાર્ટીઓએ દિલ્હીમાં બેઠક યોજવા માટે યોજના બનાવી છે. જો કોઈ પાર્ટીને ચૂંટણીમાં સ્પક્ટ બહુમતી નહીં મળે તો આખા દેશનાં રાજકીય સમીકરણો બદલાઈ જશે.


આ પણ વાંચો : હિંસાને પગલે પશ્ચિમ બંગાળમાં પ્રચાર એક દિવસ ટૂંકાવી નખાયો

સોનિયા ગાંધી પહેલાં તેલંગણાના સીએમ કેસીઆર રાવે ગઠબંધન માટે કવાયત શરૂ કરી છે. તેઓ પણ દક્ષિણના નેતાઓને મળી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2019 12:36 PM IST | નવી દિલ્હી | (જી.એન.એસ.)

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK