ઇકબાલ મિર્ચી પ્રકરણમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજને EDએ નોટિસ ફટકારી
શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા
ઇકબાલ મિર્ચી કનેક્શન પ્રકરણે બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ઈડીએ સમન્સ પાઠવ્યા છે. તપાસ કરવા માટે સમન્સ મોકલવામાં આવ્યા હોવાનું ઈડીના અધિકારીએ જણાવ્યું હતું. ઈડીએ આપેલા તેડાને કારણે ચોથી નવેમ્બરે રાજ કુન્દ્રાએ કોર્ટમાં હાજર રહેવું પડશે, એવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી હતી.
ઈડીને એવી શંકા છે કે રાજ કુન્દ્રાનો અંડરવર્લ્ડ સાથે ઘરોબો છે. કુખ્યાત અંડરવર્લ્ડ ડોન ઇકબાલ મિર્ચી સાથે કુન્દ્રાએ અમુક વ્યાવસાયિક કરાર કર્યા હોવાની શંકા ઈડીને છે. આને કારણે ચોથી નવેમ્બરે રાજ કુન્દ્રાની તપાસ કરવામાં આવશે. દરમ્યાન રાજ કુન્દ્રાએ તેમની પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા.
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આરકેડબ્લ્યુ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડે ઈસેન્શિયલ હૉસ્પિટલિટીમાં ૪૪.૧૧ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમ જ ૩૧.૫૪ કરોડ રૂપિયાની રકમ વ્યાજ વિના લોન રૂપે આપ્યા છે. એપ્રિલ, ૨૦૧૭થી માર્ચ, ૨૦૧૮ દરમ્યાન ઈસેન્શિયલ હૉસ્પિટલિટીને ૩૦.૪૫ કરોડ રૂપિયા અને એપ્રિલ, ૨૦૧૬થી માર્ચ, ૨૦૧૭ દરમ્યાન ૧૧૭.૧૭ કરોડ રૂપિયાની લોન આપી હતી.
આ પણ વાંચો : 5૦-50 ફૉર્મ્યુલાના મુદ્દે: બીજેપીનો શિવસેનાને ઠેંગો
ઈસેન્શિયલ હૉસ્પિટલિટી લિમિટેડ કંપની રાજ કુન્દ્રાની માલિકીની છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ કંપનીની ડિરેક્ટર છે. આરોપોને ફગાવતા રાજ કુન્દ્રાએ જણાવ્યું હતું કે ૨૦૧૧માં મેં એક જમીન અને કંપની આરકેડબ્લ્યુ ડેવલપર્સને વેચી હતી, ત્યાર બાદ આ કંપની સાથે મારે કોઈ સંબંધ નથી.