Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > રેમડેસિવીર માટે WHOએ કર્યો મોટો ખુલાસો, કહ્યું આ...

રેમડેસિવીર માટે WHOએ કર્યો મોટો ખુલાસો, કહ્યું આ...

16 October, 2020 05:04 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રેમડેસિવીર માટે WHOએ કર્યો મોટો ખુલાસો, કહ્યું આ...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization-WHO)એ અમેરિકી દવા કંપની ગિલિએડ સાયંસની રેમડેસિવીર (Remdesivir) દવાની અસરને લઈને મોટો ખુલાસો કર્યો છે.

હાલમાં વિશ્વભરમાં કોવિડ-19 પૉઝિટિવ દરદીઓને તબીબી સારવામાં આ દવા આપવામાં આવે છે. ભારતમાં પણ આ રેમડેસિવરીનો વપરાશ ડૉક્ટરો કરી રહ્યા છે. તાજેતરમાં કોવિડ-19 પૉઝિટિવ થયેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની સારવાર માટે પણ રેમડેસિવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



WHOના કહેવા પ્રમાણે, સોલિડ્રોરિટી ટ્રાયલમાં રેમડેસિવીર કોવિડ-19 પૉઝિટિવ દરદીઓ પર ખુબ જ ઓછી અસરકારક છે. આ દરદીઓના સંક્રમણના વખતે પણ ક્યારેક મદદરૂપ થઈ નથી. તેવી જ રીતે ગંભીર રોગીઓનો જીવ બચાવવામાં પણ આ દવા અસરકારક સાબિત નથી થઈ, એમ પણ વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું.


રેમડેસિવીરને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવી છે કે, તે વાયરસને રેપ્લિકેશનના સ્ટેજ પર જ રોકી દે છે. આ એ સ્ટેજ હોય છે જ્યારે વાયરસ શરીરમાં પોતાની કોપીઝ બનાવવાનું શરૂ કરી દે છે. આ કોપીઝ ફરી પોતાની કોપિઝ બનાવે છે અને ધીમે ધીમે સંક્રમણ વધારે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2020 05:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK