Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે એ માટે આમરણાંત અનશન

ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે એ માટે આમરણાંત અનશન

07 July, 2019 10:42 AM IST | રાજકોટ

ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે એ માટે આમરણાંત અનશન

ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે એ માટે આમરણાંત અનશન

ગાયને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો મળે એ માટે આમરણાંત અનશન


શાસ્ત્રોમાં જેને જીવતાજાગતા તીર્થસ્થાનનું સ્થાન આપવામાં આવ્યું છે એ ગાયને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે એ માટે રાજકોટના રતનપરમાં આવેલા શ્રી ગાયત્રી ગૌસેવા આશ્રમના સંચાલક અરવિંદ પંડ્યાએ બુધવારથી આમરણાંત અનશન શરૂ કર્યા આવ્યા છે. આ અનશનમાં ગઈ કાલથી અરવિંદભાઈએ ઉમેરો પણ કર્યો અને ગઈ કાલથી તેમણે સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધી ઊભા-ઊભા અનશન કરવાનું શરૂ કર્યું છે.

અરવિંદભાઈએ કહ્યું કે ‘ગાય માટે કોઈકે ઊભા થવું પડશે. આપણે ગાય બીજા દેશને ભેટ આપીએ છીએ, પણ આપણી જ ગાયનું કોઈ મૂલ્ય ન કરીએ એ કેમ ચાલે? ગાયનું ધાર્મિક મહત્ત્વ છે, પણ એનું સામાજિક અને સાથોસાથ આર્થિક મહત્ત્વ પણ વધે એ માટે એને રાષ્‍ટ્રીય પ્રાણી જાહેર કરીને રાષ્‍ટ્રીય દરજ્જો આપવામાં આવે એ ખૂબ જરૂરી છે. આજે મોર કે વાઘના શિકાર કરનારાઓ ડરે છે, પણ ગાયને હડધૂત કરનારાઓને કોઈ ફરક નથી પડતો. આ બીક માટે પણ ગાયને આ સન્માન મળવું જોઈએ.’



આ પણ વાંચોઃ રાજકોટ કોર્પોરેશને આમ્રપાલી બ્રીજ માટે રેલ્વેને નાણા ચુકવ્યા


 અરવિંદ પંડ્યાના ચાલી રહેલા આ અનશન માટે આજે ગુજરાતની બીજેપી સરકારનું એક પ્રતિનિધિમંડળ તેમને રૂબરૂ મળવા આવશે અને અનશન અટકે તથા ગાયને રાષ્‍ટ્રીય દરજ્જો મળે એ માટે શું કરવું એનો વિચારવિમર્શ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2019 10:42 AM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK