Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાના નવા સ્ટ્રેન સામે કોવૅક્સિનની અસરકારકતાના દાવાઓ સામે પ્રશ્નાર્થ

કોરોનાના નવા સ્ટ્રેન સામે કોવૅક્સિનની અસરકારકતાના દાવાઓ સામે પ્રશ્નાર્થ

05 January, 2021 02:02 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોનાના નવા સ્ટ્રેન સામે કોવૅક્સિનની અસરકારકતાના દાવાઓ સામે પ્રશ્નાર્થ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત બાયોટેકની કોરોના રસી કોવૅક્સિન કોરોના વાઇરસના બદલાયેલા સ્ટ્રેન્સ સામે પણ અસરકારક છે અને તેને બેકઅપ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, તેવી સરકારે કરેલી પુષ્ટિ સામે કેટલાક હેલ્થ કૅર નિષ્ણાતોએ સોમવારે પ્રશ્નાર્થ કર્યો હતો અને સરકારના આવા દાવા સામે અને રસીની સલામતી અને અસરકારકતા જાણવા તેમણે વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવાની માગણી કરી હતી.

જાણીતા વાઇરોલૉજિસ્ટ શાહીદ જમીલે જણાવ્યું હતું કે તેઓ નથી માનતા કે કોવૅક્સિન સલામત પુરવાર થશે અને ૭૦ ટકા કરતાં વધુ અસરકારકતા દર્શાવશે.



હું નિષ્ક્રિય વાઇરલ વૅક્સિન સફળતાપૂર્વક બનાવવાના ભારત બાયોટેકના ટ્રેક રેકૉર્ડ અને પ્લૅટફૉર્મના આધારે આ કહું છું, જેનો વ્યાપક ઉપયોગ થાય છે એમ તેમણે જણાવ્યું હતું.


તેમણે જણાવ્યું હતું કે તેમની ચિંતા રસીને મંજૂરી આપવા માટે અપનાવાયેલી પ્રક્રિયાના આધારે છે.

જો મંજૂરીમાં પ્રતિનિધિ વસ્તી માટે અસરકારક ડેટા અને સલામતી બન્નેની જરૂર પડતી હોય તો બીજા તબક્કાની સલામતી અને ઇમ્યુનોજિનિસિટી તે માપદંડ સંતોષતી નથી, એમ તેમણે જણાવ્યું હતું. આથી અમે ત્રીજા તબક્કાની ટ્રાયલ હાથ ધરી. તે વસ્તીની સૌથી નજીક હોય છે. તે ડેટા ક્યાં છે? રસી એ દવા નથી. તે તંદુરસ્ત લોકોને આપવામાં આવે છે. તે સારવાર નથી, નિવારણ છે. કાર્યક્ષમતા અને સલામતી, બન્ને જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 02:02 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK