Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આખરે વિવાદાસ્પદ પ્રૉપર્ટી-ટૅક્સના માળખાથી થાણેવાસીઓની મુક્તિ

આખરે વિવાદાસ્પદ પ્રૉપર્ટી-ટૅક્સના માળખાથી થાણેવાસીઓની મુક્તિ

29 August, 2012 08:24 AM IST |

આખરે વિવાદાસ્પદ પ્રૉપર્ટી-ટૅક્સના માળખાથી થાણેવાસીઓની મુક્તિ

આખરે વિવાદાસ્પદ પ્રૉપર્ટી-ટૅક્સના માળખાથી થાણેવાસીઓની મુક્તિ


છેલ્લા ચાર મહિનાથી વિરોધનો સામનો કરી રહેલા કૅપિટલ વૅલ્યુ આધારિત પ્રૉપર્ટી-ટૅક્સની આકારણીના વિવાદાસ્પદ ઠરાવને આખરે થાણે મહાનગરપાલિકાની જનરલ બૉડી મીટિંગમાં રદ કરવામાં આવ્યો છે. આ પ્રૉપર્ટી આકારણીની પદ્ધતિ અત્યંત અન્યાયકારક હોવાનું જણાવતાં થાણે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા થાણેવાસીઓ પર તેને લાદવામાં આવી રહ્યો હોવાની ટીકા કરતાં બધા જ પક્ષના નગરસેવકોએ એકઅવાજે સુધરાઈના અધિકારીઓની ટીકા કરી હતી.

થાણે શહેરમાં રહેલી પ્રૉપર્ટીની કૅપિટલ વૅલ્યુ નક્કી કરીને તેને આધારે પ્રૉપર્ટી-ટૅક્સ વસૂલ કરવાનો પ્રસ્તાવ થાણેના કમિશનર આર. એ. રાજીવે એપ્રિલમાં મૂક્યો હતો. એને માટે થાણેના નાગરિકો પાસેથી પ્રૉપર્ટીની વૅલ્યુ બાબતનું ડેક્લેરેશન ભરાવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે થાણેના કેટલાક નાગરિકો આ મુદ્દે મુંબઈ હાઈ ર્કોટમાં ગયા હતા અને એને પગલે મુંબઈ હાઈ ર્કોટે‍ થાણે મહાનગરપાલિકા પ્રશાસનને પ્રૉપર્ટી-ટૅક્સના ઇવૅલ્યુએશન બાબતની ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈ ર્કોટે‍ આપેલા નિર્દે‍શ બાદ નગરસેવકોને કૅપિટલ વૅલ્યુ બેઝડ પ્રૉપર્ટી-ટૅક્સ પદ્ધતિનાં પરિણામોનો અંદાજ આવ્યો હતો અને તેમણે પ્રશાસનની તરફ રહેવાને બદલે નાગરિકોને સાથ દેવાનું નક્કી કર્યું હતું. તેમાંય ગયા જ અઠવાડિયે શિવસેનાએ આ પદ્ધતિનો તીવ્ર વિરોધ હોવાનું જાહેર કર્યા બાદ બધા જ પક્ષના નગરસેવકોએ આ પદ્ધતિનો વિરોધ કર્યો હતો.



શુક્રવારની પાલિકાની સામાન્ય સભાની બેઠકમાં પાલિકા સભાગૃહના નેતા શિવસેનાના નરેશ મ્હસ્કેએ પ્રૉપર્ટી-ટૅક્સની આકારણીમાં કૅપિટલ વૅલ્યુ બેઝ્ડ પદ્ધતિ અપનાવવાના પ્રસ્તાવને રદબાતલ કરવાની નોટિસ ઑફ મોશન દાખલ કરી હતી અને એના પર અંદાજે સાડાસાત કલાક સુધી નગરસેવકોએ ગંભીર ચર્ચા કરીને પ્રશાસન પર આ પદ્ધતિ લાવવા માટે માછલાં ધોયાં હતાં અને આ પ્રસ્તાવ રદ કરવાની માગણી કરી હતી; પરંતુ પ્રશાસન તરફથી એમ જણાવવામાં આવ્યું હતું કે આ પ્રસ્તાવને રદ ન કરી શકાય, કેમ કે આ મુદ્દે મુંબઈ હાઈ ર્કોટમાં કેસ ચાલી રહ્યો છે. જોકે નરેશ મ્હસ્કેએ પ્રશાસનની ઐસી કી તૈસી કરીને આ પ્રસ્તાવ રદ થવો જ જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો, જેને પગલે મેયર હરિંદ્ર પાટીલે પ્રૉપર્ટી-ટૅક્સની આકારણી માટેના કૅપિટલ વૅલ્યુ બેઝડ પદ્ધતિના ઠરાવને રદબાતલ જાહેર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2012 08:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK