Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિલંબની નીતિ દ્વારા વડા પ્રધાન ખેડૂતોને થકવી નાખવા માગે છે: રાહુલ

વિલંબની નીતિ દ્વારા વડા પ્રધાન ખેડૂતોને થકવી નાખવા માગે છે: રાહુલ

16 January, 2021 12:52 PM IST | New Delhi
Agency

વિલંબની નીતિ દ્વારા વડા પ્રધાન ખેડૂતોને થકવી નાખવા માગે છે: રાહુલ

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી


કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘વડા પ્રધાનને ખેડૂતો પ્રત્યે સહેજ પણ માનની લાગણી નથી. તેઓ ખેડૂત સંગઠનોને કૃષિ કાયદા બાબતે વારંવાર મંત્રણા માટે બોલાવીને વિલંબની નીતિ અપનાવી રહ્યા છે. વડા પ્રધાન મંત્રણાઓના દોર વધારી અને લંબાવીને ખેડૂતોને થકવીને આંદોલનને તોડી નાખવા ઇચ્છે છે.’

નવી દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ કૉન્ગ્રેસના વિરોધ-પ્રદર્શન દરમ્યાન રાહુલ ગાંધીએ ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. એ વિરોધ-પ્રદર્શન વેળા કૉન્ગ્રેસના પૂર્વ-ઉત્તર પ્રદેશનો અખત્યાર સંભાળતાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા તેમ જ પક્ષના કેટલાક સંસદસભ્યો ઉપસ્થિત હતા.


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2021 12:52 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK