ચીન ભારત પર આક્રમણ કરવાની તૈયારી નથી કરી રહ્યું : વડા પ્રધાન
સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે સંસદમાં પ્રશ્નકાળ દરમ્યાન દાવો કર્યો હતો કે ચીન ભારત પર હુમલાની તૈયારી કરી રહ્યું છે. વડા પ્રધાને તેમના દાવાને ખોટો ગણાવ્યો હતો. ચીને બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ અટકાવી દીધો હોવાનો પણ મનમોહન સિંહે ઇનકાર કર્યો હતો.