કોરોનાવાયરસ સામે લડાઇ માટે PM મોદીએ કરી આપાતકાલીન ફંડની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદીએ લોકોને કોરોનાવાયરસ વિરુદ્ધ સરકારની લડાઇમાં યોગદાન આપવા માટે CARES ફંડની જાહેરાત કરી છે.
It is my appeal to my fellow Indians, kindly contribute to the PM-CARES Fund. This Fund will also cater to similar distressing situations if they occur in the times ahead: PM Narendra Modi. pic.twitter.com/oKhZF5NXTr
— ANI (@ANI) March 28, 2020
ADVERTISEMENT
PMએ કહ્યું કે વડાપ્રધાન CARES fund આપાતકાલીન સ્થિતિઓમાં મદદ માટે બનાવવામાં આવેલું છે. આ ફંડ સ્વસ્થ ભારત બનાવવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકેે છે. આ ફંડમાં દરેક ક્ષેત્રના લોકો દાન કરી શકે છે. આ ફંડ નાનામાં નાના દાનને પણ સ્વીકારે છે. આ પગલું આપત્તિ સમયે આવતા પડકારોને ઝીલવામાં દેશને મદદરૂપ થઈ શકે છે. તેમજ નાગરિકોની સુરક્ષા બાબતે તે ક્ષેત્રને પ્રોત્સાહિત કરશે. વડાપ્રધાને જાહેર કરેલા આ ફંડમાં જે પણ વ્યક્તિને દાન કરવું હોય તે પોતાની ક્ષમતા મુજબની રકમ દાન કરી શકે છે. તો આ ફંડમાં તમે તમારું યોગદાન નોંધાવી ભારતને સ્વસ્થ બનાવવામાં પોતાનો ભાગ ભજવો...