Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કેસરી રંગથી રંગાયેલા શૌચાલયની લોકોએ મંદિર સમજીને એક વર્ષ સુધી પૂજા કરી

કેસરી રંગથી રંગાયેલા શૌચાલયની લોકોએ મંદિર સમજીને એક વર્ષ સુધી પૂજા કરી

09 November, 2019 09:07 AM IST | Hamirpur

કેસરી રંગથી રંગાયેલા શૌચાલયની લોકોએ મંદિર સમજીને એક વર્ષ સુધી પૂજા કરી

શૌચાલય કે મંદિર

શૌચાલય કે મંદિર


ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના બની છે. આ વિસ્તારના લોકો કેસરી રંગથી રંગાયેલા એક મકાનના દરવાજાની બહાર પૂજા કરતા હતા. જોકે આ મકાન તો મંદિરને બદલે શૌચાલય નીકળ્યું હતું.
હમીરપુર જિલ્લાના મૌદહા વિસ્તારના લોકો એક વર્ષથી વધારે સમયથી એક મકાનના દરવાજાની બહાર પૂજા-અર્ચના કરી રહ્યા હતા. આશ્ચર્યજનક વાત તો એ છે કે આ તમામ લોકોને જાણ જ નહોતી કે આ મકાનની અંદર કોઈ દેવી-દેવતા સ્થાપિત છે કે નહીં.
એક સ્થાનિક રહેવાસી રાકેશ ચંદેલે જણાવ્યું કે ‘આ મકાન સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર પરિસરમાં છે. આ મકાનને કેસરી રંગથી રંગવામાં આવ્યું છે અને એને મંદિરના આકારનું બનાવાયું છે. એને કારણે લોકો આને મંદિર સમજતા હતા. જોકે કોઈએ આ વિશે તપાસ કરવાની જહેમત નહોતી ઉઠાવી. તાજેતરમાં એક અધિકારીએ જણાવ્યું કે આ મકાન વાસ્તવમાં શૌચાલય છે.’
તેમણે વધુમાં જણાવ્યું કે ‘મકાનનો ભગવો રંગ ભ્રમનું કારણ બન્યું હતું. હવે આ શૌચાલયને ગુલાબી રંગ ચોપડવામાં આવ્યો છે. અન્ય એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ શૌચાલયનું ઉદ્ઘાટન એક વર્ષ કરતાં વધારે સમય પહેલાં થયું હતું, પરંતુ આના દરવાજા પર તાળું લાગેલું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2019 09:07 AM IST | Hamirpur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK