રાજ્યાશ્રય માટે પાકિસ્તાની હિન્દુઓની અરજીના મુદ્દે કેન્દ્ર જવાબ આપે : હાઈ ર્કોટ
હકીકતમાં આ હિન્દુઓ ય્ત્રાળુઓ તરીકેના વીઝા મેળવીને ભારત આવ્યા હતા અને હવે તેમના વીઝાની મુદત પૂરી થઈ ગઈ હોવાથી તેમને ગમે ત્યારે પાકિસ્તાન મોકલી દઈ શકાય છે.
આ ૧૫૧ પાકિસ્તાનીઓ હવે પાકિસ્તાન પાછા જવા નથી માગતા અને ભારતમાં રાજ્યાશ્રય કે પછી ભારતીય નાગરિકત્વ ઇચ્છે છે. આ નાગરિકોએ આ રાજ્યાશ્રય માટે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને રાષ્ટ્રીય માનવઅધિકાર પંચને પિટિશન મોકલીને જણાવ્યું છે કે પાકિસ્તાનમાં તેમના જીવ પર જોખમ હોવાથી હવે તેઓ પાકિસ્તાન જવા નથી માગતા