સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)નું વહીવટી તંત્ર નવા વાઘને આવકારવા માટે રોમાંચિત છે. પાર્કમાં આજે તે વાઘનું આગમન થાય તેવી અપેક્ષા છે. આરટી-૧ની નાગપુરથી મુંબઈની સફર ગુરુવારે બપોરે શરૂ થઈ હતી. આ સાથે એસજીએનપીમાં વાઘની સંખ્યા સાત પર પહોંચશે.
આરટી-૧એ આઠ વ્યક્તિને ફાડી ખાધા હતા ત્યાર બાદ ઑક્ટોબરમાં ચંદ્રાપુરથી પકડી લેવાયો હતો. બાદમાં તેને ગોરેવાડા ઝૂમાં લઈ જવાયો હતો. વાઘને શહેરમાં લાવનારી ટીમમાં સામેલ રેન્જ ફોરેસ્ટ ઑફિસર વિજય બારબ્ડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે શનિવારે મળસ્કે એસજીએનપી પહોંચીશું. ૮૦૦ કિમી લાંબી મુસાફરી હોવાથી અમે દર ૫૦-૧૦૦ કિમીએ ટૂંકો વિરામ લઈ રહ્યા છીએ. વેટરિનરી અધિકારી આરટી-૧ની સંભાળ લઈ રહ્યા છે અને અમે તેને દિવસમાં એક વખત ભોજન ઉપરાંત નિયમિત સમયાંતરે પાણી આપી રહ્યા છીએ.’
પાર્કમાં ચાર વાઘણ અને બે વાઘ છે, જેમાંથી એકની વય ૧૧ મહિના છે. બીજો વાઘ સુલતાન એક વર્ષ પહેલાં (પાર્કની વાઘણો) બિજલી (૯), મસ્તાની (૯), બસંતી (૧૮) અને લક્ષ્મી (૧૦)ની મદદથી બ્રીડિંગ માટે નવેમ્બરમાં એસજીએનપી લાવવામાં આવ્યો હતો.
જોકે એસજીએનપીના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે વાઘણોનું વધુ વર્ચસ્વ છે અને તેઓ સુલતાનને તેમની નજીક નથી ફરકવા દેતી. ઑથોરિટીને આશા છે કે વધુ એક નર વાઘનો ઉમેરો થતાં સમીકરણો બદલાશે અને તેઓ બ્રીડિંગના પ્રયાસો હાથ ધરી શકશે.
ખટ્ટર સરકાર પર ઘેરાયાં સંકટનાં વાદળો, ચૌટાલાની શાખ પર સટ્ટો
6th March, 2021 13:06 ISTથાણેમાંથી ૯.૫૭ લાખનો ગાંજો પકડાયો
6th March, 2021 10:11 ISTઓબીસી ક્વોટા માટે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન અનિવાર્ય હતી: અજિત પવાર
6th March, 2021 10:08 ISTભાડાવધારો સરકાર માટે મુસીબત નોતરી રહ્યો છે?
6th March, 2021 10:06 IST