Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સર્વિસ-ચાર્જની રકમ શું હોટેલોના સ્ટાફરોને મળે છે?

સર્વિસ-ચાર્જની રકમ શું હોટેલોના સ્ટાફરોને મળે છે?

24 April, 2017 05:00 AM IST |

સર્વિસ-ચાર્જની રકમ શું હોટેલોના સ્ટાફરોને મળે છે?

સર્વિસ-ચાર્જની રકમ શું હોટેલોના સ્ટાફરોને મળે છે?



ram vilash paswan


ગ્રાહકોની બાબતોના કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને ગઈ કાલે કહ્યું હતું કે હોટેલમાં ગ્રાહકોએ સર્વિસ-ચાર્જ આપવો સ્વૈચ્છિક છે, પરંતુ આ સર્વિસ-ચાર્જના કેટલા પૈસા હોટેલના કર્મચારીઓ સુધી પહોંચે છે એ જાણવાનું મહત્વનું છે.

પત્રકારો સાથે વાત કરતાં રામવિલાસ પાસવાને કહ્યું હતું કે ‘અમુક હોટલો કહે છે કે તેઓ ગ્રાહકો પાસેથી ભેગા કરવામાં આવેલા સર્વિસ-ચાર્જના ૩૦ ટકા તેમના સ્ટાફમાં વહેંચી દે છે. શું ખરેખર સર્વિસ-ચાર્જની રકમ સ્ટાફ સુધી પહોંચે છે? અત્યાર સુધી એ નક્કી નથી કે સર્વિસ-ચાર્જના કેટલા ટકા અથવા પૂરી રકમ સ્ટાફને અપાય છે. તેથી જરૂરી છે કે હોટેલ અને રેસ્ટોરાંના માલિકો તેમણે મેળવેલા સર્વિસ-ચાર્જનો રેકૉર્ડ રાખે અને આ રેકૉર્ડને જાહેર કરે.’

સર્વિસ-ટૅક્સ અને સર્વિસ-ચાર્જ વચ્ચે પ્રવર્તતી મૂંઝવણ દૂર કરવા રામવિલાસ પાસવાને કહ્યું હતું કે સર્વિસ-ટૅક્સ ફરજિયાત છે, જ્યારે સર્વિસ-ચાર્જ સ્વૈચ્છિક છે અને આ વિશે ગ્રાહકોને જાણ હોવી જોઈએ.

નવી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓ હેઠળ સર્વિસ-ચાર્જ હોટેલો અને રેસ્ટોરાંના બિલમાં સમાવવામાં નહીં આવે, પરંતુ સર્વિસ-ચાર્જ માટે એક અલગ કૉલમ રાખવામાં આવશે જેને કોરી રાખીને એમાં ગ્રાહક રકમ ભરશે અને અંતિમ બિલ ચૂકવશે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2017 05:00 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK