Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > BJP MP પ્રવેશ વર્મા: શાહીનબાગવાળા તમારી બહેન, દીકરીઓ પર બળાત્કાર કરશે!

BJP MP પ્રવેશ વર્મા: શાહીનબાગવાળા તમારી બહેન, દીકરીઓ પર બળાત્કાર કરશે!

29 January, 2020 03:04 PM IST | New Delhi

BJP MP પ્રવેશ વર્મા: શાહીનબાગવાળા તમારી બહેન, દીકરીઓ પર બળાત્કાર કરશે!

પ્રવેશ વર્મા

પ્રવેશ વર્મા


દિલ્હી ચૂંટણીમાં પ્રચાર અને તમામ મુદ્દા હવે શાહીનબાગની તરફ જ સમેટાતા દેખાય છે. ગૃહપ્રધાન અમિત શાહે શાહીનબાગ પર કહ્યું હતું કે સીએમ અરવિંદ કેજરીવાલે ધરણાં ખતમ કરવા જોઈએ. હવે પશ્ચિમ દિલ્હીથી બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ શાહીનબાગની તુલના કાશ્મીરથી કરી દીધી. વર્માએ તો એટલે સુધી કહ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવી તો એક કલાકની અંદર શાહીનબાગને ખાલી કરી દેશે. વર્માએ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના વિવાદાસ્પદ નિવેદન ગોળી મારોનો પણ બચાવ કર્યો અને કહ્યું કે દેશની પ્રજા પણ ગદ્દારોની સાથે આમ જ કરવા માગે છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરની સોમવારે દિલ્હીમાં યોજાયેલી રૅલી અંગે ચૂંટણી પંચે રિપોર્ટ માગ્યો છે.

આ પણ વાંચો : JNUનો વિદ્યાર્થી શરજીલ ઇમામની બિહારથી ધરપકડ



અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગદ્દારોને ભગાડવા માટે સૂત્રોચ્ચાર પણ કરવો જરૂરી છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતની અસ્મિતાને બચાવવાનો મુદ્દો જણાવ્યો હતો ત્યારે મંચ પર હાજર અન્ય પ્રધાન ગિરિરાજ સિંહે જણાવ્યું કે કમળનું બટન દબાવ્યા પછી જ આ ગદ્દારો મરશે.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2020 03:04 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK