Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : પશ્ચિમ રેલવે દાદર-અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

મુંબઈ : પશ્ચિમ રેલવે દાદર-અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

19 December, 2020 07:33 AM IST | Mumbai

મુંબઈ : પશ્ચિમ રેલવે દાદર-અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે દાદર-અમદાવાદ વચ્ચે ગુજરાત મેલ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આગામી નોટિસ સુધી આ સ્પેશ્યલ ટ્રેન દાદર-અમદાવાદ-દાદર વચ્ચે દરરોજ દોડાવાશે.

પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમીત ઠાકુરે ઇશ્યુ કરેલી અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ટ્રેન-નંબર ૦૯૨૦૧ દાદર-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન ૨૨ ડિસેમ્બરથી દરરોજ રાતે ૯.૪૦ વાગ્યે દાદરથી રવાના થશે અને બીજા દિવસે વહેલી સવારે ૫.૫૫ વાગ્યે અમદાવાદ પહોંચશે.



આ જ રીતે ટ્રેન નંબર ૦૯૨૦૨ અમદાવાદ-દાદર સ્પેશ્યલ ટ્રેન ૨૧મીએ રાતે ૧૦.૫૦ વાગ્યે અમદાવાદથી રવાના થશે અને બીજા દિવસે સવારે ૬.૧૫ વાગ્યે દાદર પહોંચશે.


આ ટ્રેન બોરીવલી, દહાણુ રોડ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, મહેમદાવાદ અને મણિનગર સ્ટેશને ઊભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-ટૂ ટિયર, એસી થ્રી ટિયર સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ રહેશે.

૦૯૨૦૧ અને ૦૯૨૦૨નું બુકિંગ ૨૦ ડિસેમ્બરથી નિર્દિષ્ટ પીએસઆર કાઉન્ટર પર અને આઇઆરસીટીસી વેબસાઇટ પરથી મળી શકશે. આ ટ્રેનો ફુલ્લી રિઝર્વ્ડ ટ્રેન હશે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2020 07:33 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK