Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મનમોહન સિંહ સરકાર માટે માયાવતી બનશે તારણહાર?

મનમોહન સિંહ સરકાર માટે માયાવતી બનશે તારણહાર?

04 December, 2012 06:34 AM IST |

મનમોહન સિંહ સરકાર માટે માયાવતી બનશે તારણહાર?

મનમોહન સિંહ સરકાર માટે માયાવતી બનશે તારણહાર?




સંસદનાં બન્ને ગૃહમાં આજે મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇને મુદ્દે ચર્ચા થશે, ચર્ચા બાદ આવતી કાલે આ મુદ્દે વોટ લેવામાં આવશે એવી શક્યતા છે. આ અગાઉ ગઈ કાલે બીએસપીનાં સુપ્રીમો માયાવતીએ એક પ્રેસ-કૉન્ફરન્સ યોજીને સંસદમાં સરકારના સર્પોટમાં વોટ આપવાનો સંકેત આપ્યો હતો. અગાઉ એફડીઆઇનો જોરદાર વિરોધ કરનાર માયાવતીએ ગઈ કાલે આ નીતિનું સમર્થન કર્યું હતું. આ આ સાથે તેમણે બીજેપીને સત્તાથી દૂર રાખવા માટે સરકારના સમર્થનમાં વોટ આપવાનો નર્ધિાર વ્યક્ત કર્યો હતો. યુપીએ સરકારને બહારથી ટેકો આપી રહેલી સમાજવાદી પાર્ટીએ હજી પણ પોતાનું વલણ જાહેર કર્યું નથી. 





ગઈ કાલે દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં માયાવતીએ કહ્યું હતું કે દેશના આર્થિક વિકાસ માટે એફડીઆઇ જરૂરી છે, પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાનિ પહોંચે નહીં એ માટે કાળજીપૂર્વક આ નીતિ લાગુ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે ‘એફડીઆઇની નીતિનો પ્લસ પૉઇન્ટ એ છે કે જો રાજ્યો તેને લાગુ કરવા માગતાં ન હોય તો કેન્દ્ર સરકાર આ નીતિ લાગુ કરવા ફરજ પાડી શકશે નહીં. અમારી પાર્ટીએ આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે. હવે કોમવાદી તત્વોને પ્રોત્સાહન આપતી પાર્ટીઓની પડખે રહેવું કે નહીં એ નિર્ણય અમે હવે કરીશું.’

માયાવતીએ સ્પષ્ટતા કરી હતી કે તેમની પાર્ટી એફડીઆઇ પરના વોટિંગમાં સરકારની તરફેણમાં વોટ આપવો કે નહીં એ વિશે હજી નિર્ણય લીધો નથી. તેમણે કહ્યું હતું કે સંસદમાં સમય આવ્યે આ નિર્ણય લેવામાં આવશે.

સરકાર-વિપક્ષ સક્રિય

સંસદમાં આવતા બે દિવસમાં એફડીઆઇ પર વોટિંગ થશે ત્યારે ગઈ કાલે બીજેપી અને કૉન્ગ્રેસે લોકસભામાં પોતાના સભ્યોને વ્હિપ જાહેર કરીને હાજર રહેવાનો તથા પાર્ટીના આદેશ મુજબ વોટ આપવાનું ફરમાન આપ્યું હતું. લોકસભામાં આજે ચર્ચાનો પ્રારંભ થશે. વોટિંગમાં સહેજ પણ કાચું ન કપાય એ માટે કૉન્ગ્રેસે કમર કસી છે. આ માટે પાર્ટીએ માત્ર યુપીએ જ નહીં, પણ યુપીએ બહારના પક્ષોનો ટેકો લેવા માટે પણ ચક્રો ગતિમાન કયાર઼્ હતાં. બીજેપી અને ડાબેરી પક્ષો સહિતની પાર્ટીઓ એફડીઆઇનો વિરોધ કરી રહી છે. લોકસભામાં આજે બીજેપીનાં નેતા સુષમા સ્વરાજ ચર્ચાનો પ્રારંભ કરશે એવી શક્યતા છે, જ્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી ચર્ચા શરૂ કરે એવી શક્યતા છે.

યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ, બીએસપી = બહુજન સમાજ પાર્ટી, એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બીજેપી = ભારતીય જનતા પાર્ટી


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2012 06:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK