મુંબઈ સેન્ટ્રલના સિટી સેન્ટર મૉલમાં લાગી ભયંકર આગ
તસવીર: અતુલ કાંબળે
ગઈકાલે રાત્રે મુંબઈ સેન્ટ્રલના સિટી સેન્ટર મૉલમાં ભયંકર આગ લાગી છે. લગભગ છેલ્લા બાર કલાકથી અગ્નિશમન દળના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જોકે, હજી સુધી આગ સંપુર્ણ રીતે બુઝાઈ નથી. ફાયર બ્રિગેડ દ્વારા મૉલની અંદર ફસાયેલા 400થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નજીકના રહેણાંક વિસ્તારોમાંથી 3,500 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે આગ પર કાબૂ મેળવતા અગ્નિશમન દળના બે જવાનો જખમી થયા છે.
A major fire broke out at the #CityCentreMall at #Mumbai Central area on Thursday night and the efforts are still on to douse the fire. The fire had spread on the second and third floors of the mall.
— Mid Day (@mid_day) October 23, 2020
? - @iamATULKAMBLE@MNCDFbombay @mumbaimatterz @CommunityBandra pic.twitter.com/DubARMXQDG
ADVERTISEMENT
મુંબઈ સેન્ટ્રલના સિટી સેન્ટર મૉલમાં ગુરુવારે રાત્રે નવ વાગ્યે આગ લાગી હતી. મૉલના બીજા માળે આવેલી મોબાઈલની દુકાનમાં આગ લાગી હતી અને પછી આગ આખા મૉલમાં ફેલાઈ ગઈ હતી. બીજા અને ત્રીજા માળે પણ આગ પ્રસરી ગઈ છે. અગ્નિશમન દળના અધિકારીઓ દ્વારા આગને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 24 ફાયર એન્જીન અને અગ્નિશમન દળના 250 જવાનો સહિત મુખ્ય ફાયર ઓફિસર શશિકાન્ત કાલે આગ બુઝવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મૉલની બહાર આવેલો નાગપાડા વિસ્તાર વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. નજીકના રહેણાંક વિસ્તારોમાંથી લગભગ 3,500 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
લગભગ છેલ્લા બાર કલાકથી અગ્નિશમન દળના અધિકારીઓ આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ દરમિયાન અગ્નિશમન દળના બે જવાનો જખમી થયા છે. સિટી સેન્ટર મૉલમાં 200થી વધુ દુકાનો છે. આ તમામ દુકાનોમાં મોબાઇલ એક્સેસરીઝની વધુ દુકાન છે. એટલે આગમાં વધુ નુકસાન થયું હોવાની જાણ થઈ છે.
અહેવાલો પ્રમાણે, સિટી સેન્ટર મૉલમાં લાગેલી આગ લેવલ પાંચની આગ છે.
મુંબઈના મેયર કિશોરી પેડણેકર અને અન્ય અધિકારીઓએ ગુરુવારે રાત્રે પરિસ્થિતિ જાણવા માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.