Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જાણો ચંદ્રયાન-2 ક્યારે ઉતરશે ચંદ્રની સપાટી પર

જાણો ચંદ્રયાન-2 ક્યારે ઉતરશે ચંદ્રની સપાટી પર

22 July, 2019 03:26 PM IST |

જાણો ચંદ્રયાન-2 ક્યારે ઉતરશે ચંદ્રની સપાટી પર

ક્યારે ઉતરશે ચંદ્રની સપાટી પર

ક્યારે ઉતરશે ચંદ્રની સપાટી પર


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગોનાઈઝેશન (ISRO) આજે ચંદ્રયાન 2ને બપોરે 2.43 વાગ્યે લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 15 જુલાઈએ રાત્રે લોન્ચ થવાનું હતું. પરંતુ ટેક્નિકલ સમસ્યાના કારણે લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. આખરે ઈસરોની સૌથી મહત્વકાંક્ષી યોજના ચંદ્રયાન 2 લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન 2 ચંદ્રની સપાટી પર ઉતરીને તેની તપાસ કરશે. ચંદ્રયાન 2 અવકાશી સફર પાર કરીને ચંદ્ર પર કેટલા દિવસમાં પહોંચશે અને ત્યા શું કરશે તે બધા માટે એક પ્રશ્ન છે.

ચંદ્રયાન 2 પહેલા 6 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર ઉતરશે તેવું માનવામાં આવી રહ્યું હતું. આ મિશન 54 દિવસનું રહેશે. જો કે ટેક્નિકલ સમસ્યાના કારણે લોન્ચિગ એક અઠવાડિયુ મોડુ થયું હતું જો કે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2 7 સપ્ટેમ્બરે જ પહોચશે તેવું કહેવામાં આવી રહ્યું છે. હવે ચંદ્રયાન-2ને ચંદ્રની સપાટી પર પહોચવા માટે 48 દિવસ લાગશે. 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર પહોંચાડવા માટે પૃથ્વીની આસપાસ ચંદ્રયાન-2 જે ચક્કર લગાવવાનું હતું તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા ચંદ્રયાન-2 પૃથ્વીની ફરતે 5 આંટા મારવાનું હતું જેની જગ્યાએ હવે 4 આંટા મારશે.



ચંદ્રયાન 2 ઈસરો માટે સૌથી મહત્વના પ્રોજેક્ટમાંથી એક છે જે લોન્ચ વ્હિકલ બાહુબલી એટલે કે GSLV Mk-IIIની મદદથી લોન્ચ કરવામાં આવશે. 640 ટનના બાહુબલીની લંબાઈ 44 મીટર છે જેની અંદર 3.8 ટનનુ ચંદ્રયાન-2 સવાર થશે. ચંદ્રયાન-2ની બનાવટ પાછળ 978 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. આ મિશન પછી ભારત ચંદ્રની સપાટી પર ઉતરીને તેની તપાસ કરનારા દેશોમાં સામેલ થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 03:26 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK