જયંતી ભાનુશાળીના કરાયા અંતિમ સંસ્કાર
બુધવારે થઈ હતી જયંતી ભાનુશાળીની હત્યા
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીનો મૃતદેહ તેમના અમદાવાદ ખાતેના નિવાસસ્થાને લાવવામાં આવ્યો. જ્યાં તેમના પરિવારે મૃતદેહ અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના પરિવારજનોની માગને કારણે તેમના મૃતદેહનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જે બાદ તેમના પરિવારજેનો દ્વારા તેમના મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ માટે તેમના મૃતદેહને માળિયાથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત જયંતિ ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલવા માટે રેલવે પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે.
આજે વહેલી સવારે જયંતિ ભાનુશાળીનો મૃતદેહ તેમના નરોડા સ્થિત નિવાસ સ્થાને લાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ હતી. હવે અહીંથી સવારે 10 વાગ્યાની આસપાસ તેમની અંતિમ યાત્રા કરવામાં આવી. જયંતિ ભાનુશાળી ગુજરાતના કદ્દાવર નેતા હોવાથી તેમની અંતિમયાત્રામાં અનેક રાજકારણીઓ અને નેતાઓ આવવાની શક્યતાને જોતા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ હત્યા અંગે પરિવારજનોએ જણાવ્યું કે, રાજકીય ષડયંત્ર જણાવ્યું છે. પરિવારજનોએ હત્યાકેસમાં નિષ્પક્ષ તપાસની માગ કરતા આરોપીઓને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવાની માગ કરી છે.
આ પણ વાંચોઃ નરેન્દ્ર મોદી ગુજરાતમાં જે પાંચ નેતાઓના સંપર્કમાં રહેતા એમાં જયંતીભાઈ એક હતા
ઉલ્લેખનીય છે કે, જયંતિ ભાનુશાળી ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યા હતા, ત્યારે તેમને બે ગોળી ધરબી દઈને તેમની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ભાજપના જ દિગ્ગજ નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનો હાથ હોવાની શંકા સેવવામાં આવી છે. આ કેસમાં 5 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.