પાકિસ્તાનના વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીએ ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાનાં ચાર વર્ષ પછી પહેલી વાર જાહેરમાં આ પ્રકરણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે બેનઝીર ભુટ્ટોની હત્યાની તપાસ પૂરી થવાની તૈયારીમાં છે અને શાસક પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી નક્કી કરશે કે આ તપાસનાં તથ્યો જાહેર જનતા સમક્ષ ક્યારે મૂકવામાં આવે.
ભુટ્ટોપરિવારના પારિવારિક સ્મારક પાસે બેનઝીર ભુટ્ટોની કબર પાસે પ્રાર્થના કર્યા બાદ યુસુફ રઝા ગિલાનીએ પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે બેનઝીરની હત્યા માત્ર રાષ્ટ્રીય ઘટના નહોતી અને એનું આંતરરાષ્ટ્રીય મહત્વ પણ હતું. આની તપાસ લગભગ પૂરી થઈ ગઈ છે અને આખો મામલો કાયદાને આધીન છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK