બેનઝીરના મર્ડરનો કેસ પૂરો થવાની તૈયારીમાં: પાકિસ્તાની વડાપ્રધાન
ADVERTISEMENT
ભુટ્ટોપરિવારના પારિવારિક સ્મારક પાસે બેનઝીર ભુટ્ટોની કબર પાસે પ્રાર્થના કર્યા બાદ યુસુફ રઝા ગિલાનીએ પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે બેનઝીરની હત્યા માત્ર રાષ્ટ્રીય ઘટના નહોતી અને એનું આંતરરાષ્ટ્રીય મહત્વ પણ હતું. આની તપાસ લગભગ પૂરી થઈ ગઈ છે અને આખો મામલો કાયદાને આધીન છે.