ગીરમાં સિંહદર્શન શરૂ
સિંહ
ગીર અભયારણ્ય બુધવારથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકાયું છે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પૂરું થતાં બુધવારથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખૂલી ગયા. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે એમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. જોકે હવે પ્રવાસીઓ સિંહનાં દર્શન કરી શકશે. નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. ત્યારે આ વર્ષની ગીર ટૂરના ખાસિયત એ રહેશે કે આ વખતે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ માટે વન વિભાગ તરફથી પાણીની બૉટલ આપવામાં આવશે.
વહેલી સવારે મુસાફરોને મીઠાઈ ખવડાવીને તથા તેમને પુષ્પગુચ્છ આપીને તેમને ગીર જંગલમાં રવાના કરાયા હતા. આ વર્ષે ગીરના જંગલમાં નવી બાબતોનો સમાવેશ કર્યો છે, વેબસાઇટને ફાસ્ટ બનાવી છે. વેબસાઇટ અને ઑનલાઇન બુકિંગને ક્યુઆર કોડથી સજ્જ કરાયાં છે. પહેલાં જ્યાં પરમિટ ઇશ્યુ કરવા અઢી કલાક લાગતા એ કામ હવે માત્ર ૧૫ મિનિટમાં થાય છે. શિયાળા અને ઉનાળાના સમયગાળામાં પરિવર્તન કર્યું છે. શિયાળામાં ૧૬ ઑક્ટોબરથી ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે. સમય ૬.૪૫થી ૯.૪૫ સુધી કર્યો છે. ઉનાળામાં માર્ચથી ૧૫ જૂન સુધીનો રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મૉલ-મલ્ટિપ્લેક્સમાં પહેલા એક કલાક આપવું પડશે ફ્રી પાર્કિંગઃ સુપ્રીમ કોર્ટ
સાંજની ટ્રિપનો સમય ૪થી ૭નો કર્યો છે. આ સમય મુસાફરોના ફીડબૅકના આધારે કર્યો છે. સૅન્ક્ચ્યુઅરીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક કે ફૂડ પૅકેટ્ સ અંદર લઈ જઈ શકાય નહીં, થર્મોઇન્સ્યુલેટેડ પાણીની બૉટલ ટૂરિસ્ટને ફાળવવામાં આવશે. એક જિપ્સીમાં એક-એક લીટરની બે બૉટલ આપવામાં આવશે.