Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મંદીનો માર, દશેરા છતાં વાહનોના શોરૂમ ખાલીખમ, વેચાણમાં 45 ટકાનો ઘટાડો

મંદીનો માર, દશેરા છતાં વાહનોના શોરૂમ ખાલીખમ, વેચાણમાં 45 ટકાનો ઘટાડો

09 October, 2019 09:16 AM IST | સુરત

મંદીનો માર, દશેરા છતાં વાહનોના શોરૂમ ખાલીખમ, વેચાણમાં 45 ટકાનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દશેરાએ ગુજરાતમાં સૌથી વધારે ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરનું વેચાણ સુરત શહેરમાં થયું હોય છે. જોકે આ વર્ષે ઑટોમોબાઇલ સેક્ટરમાં આવેલી મંદીને લઈને ગયા વર્ષ કરતાં વેચાણમાં ૪૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

દશેરાને ગાડી ખરીદવાનું સારું મુહૂર્ત ગણવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો ગાડીઓ ખરીદતા હોય છે. ગયા વર્ષની વાત કરવામાં આવે તો દશેરાઓ શહેરમાં ૧૫૦૦ ટૂ-વ્હીલરનું વેચાણ થયું હતું. જ્યારે ૭૦૦ ફોર-વ્હીલર વેચાયાં હોવાની સરકારી ચોપડે નોંધ થઈ છે. છેલ્લા ચાર મહિનાથી ઑટોસેક્ટર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. આ વર્ષની વાત કરવમાં આવે તો ટૂ-વ્હીલરનું વેચાણ ૭૦ ટકા જેટલું, જ્યારે મધ્ય બજેટની ફોર-વ્હીલર ગાડીનું વેચાણ ૬૦ ટકા અને લક્ઝરી કારનું વેચાણ ફક્ત ૧૦ ટકા થયું છે.



આ પણ વાંચો : દશેરા નિમિત્તે રાજ્યભરમાં ઠેર-ઠેર શસ્ત્રપૂજન તો ક્યાંક હેલ્મેટની પૂજા


લક્ઝરી ગાડીની ડિલિવરી આજની તારીખમાં મળે તેમ ન હોવાથી મોટા ભાગના શોરૂમ બંધ જોવા મળ્યા હતા. આ પહેલાંના વર્ષે દશેરાએ કારના શોરૂમ આગળ મંડપો બાંધવા પડતા હતા તેમ જ મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ જોવા મળતી હતી. આ વર્ષે શોરૂમ બહાર કોઈ લોકો નજરે નથી પડી રહ્યા.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 09:16 AM IST | સુરત

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK