Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા : ગિરનારમાં 8 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા : ગિરનારમાં 8 ઇંચ વરસાદ

08 August, 2020 11:03 AM IST | Rajkot
Agencies

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા : ગિરનારમાં 8 ઇંચ વરસાદ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજકોટમાં તોફાની બે ઇંચ વરસાદ બાદ મધ્યમ ગતિએ વધારાનો માત્ર બે ઇંચ વરસાદ જ વરસ્યો છે પરંતુ રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદથી આજી નદીમાં પૂર આવતાં રાજકોટના મેયર સહિત ફાયર સ્ટાફે સ્થિતિની સમીક્ષા કરવા દોડી જઈ આસપાસની સોસાયટીઓને અલર્ટ રહેવા સૂચના આપી છે. રાજકોટમાં આજી નદીના કાંઠે બિરાજતા પુરાણપ્રસિદ્ધ રામનાથ મહાદેવના મંદિર શ્રાવણના પાવન દિવસોમાં મેઘરાજાએ જળાભિષેક કર્યો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ આજે અર્ધાથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ગિરનારમાં ૮ ઇંચ, રાજુલા સલાયામાં ૧૨૫ મિમી. જાફરાબાદ ૯૨ મિમી, કલ્યાણપુરા ૮૧ મિમી, દામનગર ૮૦ મિમી, ખંભાળિયા ૬૬ મિમી, ભાણવડ ૫૯ મિમી, ભાટિયા ૬૫ મિમી, પોરબંદર ૪૭ મિમી, કુતિયાણા ૫૦ મિમી, કેશોદ ૫૬ મિમી, વંથલી ૪૪ મિમી, રાણાવાવ ૪૪ મિમી, જૂનાગઢ ૧૦૦ મિમી, લાલપુર ૪૦, જામજોધપુરમાં ૩૦ મિમી, મોરબી ૫૪ મિમી, ટંકારામાં ૫૯ મિમી વરસાદ પડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2020 11:03 AM IST | Rajkot | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK