Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પાલિતાણામાં દીવાલ ધરાશાયીઃ ત્રણ મજૂરોનાં મોત, બે ઘાયલ

પાલિતાણામાં દીવાલ ધરાશાયીઃ ત્રણ મજૂરોનાં મોત, બે ઘાયલ

23 December, 2019 09:02 AM IST | Bhavnagar

પાલિતાણામાં દીવાલ ધરાશાયીઃ ત્રણ મજૂરોનાં મોત, બે ઘાયલ

પાલિતાણામાં દીવાલ ધરાશાયી

પાલિતાણામાં દીવાલ ધરાશાયી


પાલ‌િતાણા તળેટી રોડ પર આવેલા આરીસા ભુવનની દીવાલ ધરાશાયી થતાં ચારથી પાંચ મજૂરો દટાયા હતા, જેમાંથી ત્રણ મજૂરોનાં મોત નીપજ્યાં હોવાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો ઈજાગ્રસ્ત છે જેમને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં રાજકોટ સૌથી ઠંડું શહેર, લઘુતમ તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું



આ મામલે મળતી માહિતી પ્રમાણે પાલ‌િતાણા તળેટી રોડ પર આવેલા આરીસા ભુવનની અચાનક દીવાલ ધરાશાયી થતાં ૫થી ૬ જણ અંદર દટાયાના સમાચાર મળ્યા હતા, જેમાંથી ત્રણ પુરુષ મજૂરોનાં મોત નીપજ્યાં છે; જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. હાલ ત્યાં કાટમાળ નીચે અન્ય કોઈ દટાયું છે કે નહીં એ અંગેનું કામ ચાલી રહ્યું છે. હાલ પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2019 09:02 AM IST | Bhavnagar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK