Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સરકારે આ વખતે ધ્વનિ-પ્રદૂષણ મામલે ભારે નરમાશ રાખી

સરકારે આ વખતે ધ્વનિ-પ્રદૂષણ મામલે ભારે નરમાશ રાખી

24 September, 2012 05:19 AM IST |

સરકારે આ વખતે ધ્વનિ-પ્રદૂષણ મામલે ભારે નરમાશ રાખી

 સરકારે આ વખતે ધ્વનિ-પ્રદૂષણ મામલે ભારે નરમાશ રાખી



જાણીતા ઍક્ટિવિસ્ટના મતે છેલ્લા પાંચ દિવસ દરમ્યાન શહેરમાં ધ્વનિ-પ્રદૂષણના સ્તરમાં ભારે વધારો જોવા મળ્યો હતો. ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં ધ્વનિ-પ્રદૂષણ વિરુદ્ધ કાર્ય કરતાં તેમ જ આવાઝ નામની બિનસરકારી સંસ્થાનાં સ્થાપક સુમેરા અબ્દુલઅલીએ કહ્યું હતું કે ‘આ વર્ષે ગણપતિ મંડળો તરફ સરકારે નરમાશભર્યું વર્તન બતાવ્યું છે. મારું માનવું છે કે શહેરમાં ઘણાં સ્થળોએ ધ્વનિ-પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ વિશેની ઘણી ફરિયાદો નાગરિકોએ મને કરી છે.’

મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ ર્બોડ ગણેશ ઉત્સવ દરમ્યાન વિવિધ શહેરોમાં ધ્વનિ-પ્રદૂષણના સ્તરને માપવાનું કાર્ય કરતું હોય છે. નિયમ પ્રમાણે સાઇલન્સ ઝોનમાં દિવસ દરમ્યાન ૫૦ ડેસિબલ (ડીબી) તથા રહેઠાણ વિસ્તારમાં ૫૫ ડીબી ધ્વનિ-પ્રદૂષણ હોવું જોઈએ. સામાન્ય રીતે ગણેશોત્સવના અંતિમ દિવસો દરમ્યાન ધ્વનિ-પ્રદૂષણની ફરિયાદો નાગરિકો કરતા હોય છે, પરંતુ આ વખતે શરૂઆતથી જ ભારે શોરબકોર જોવા મળ્યાંની ફરિયાદો નાગરિકો કરી રહ્યા છે.

આ વખતે ગોકુળાષ્ટમીમાં પણ ધ્વનિ-પ્રદૂષણે આગલા તમામ રેકૉર્ડ બ્રેક કર્યા હતા. ગયા વર્ષે ધ્વનિ-પ્રદૂષણ ૧૦૫ ડીબીની જગ્યાએ ૧૭૩ ડીબી નોંધવામાં આવ્યું હતું. આ વખતે ગણેશોત્સવ દરમ્યાન લોકો મોડી રાત સુધી ફટાકડા ફોડે છે તેમ જ મ્યુઝિક ચાલુ રાખે છે.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2012 05:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK