ફૂડ-ઇન્ફ્લેશન ઘટીને માત્ર ૦.૪૨ ટકા
છેલ્લા એક વર્ષમાં કઠોળના ભાવ ૧૪.૦૭ ટકા, દૂધના ૧૧.૩૦ ટકા, ફ્રૂટ્સના ૮.૪૬ ટકા અને અનાજના ભાવ ૨.૧૫ ટકા વધ્યા છે. કાંદાના ભાવમાં ૫૯.૦૪ ટકા, બટાટામાં ૩૩.૭૬ ટકા, ઘઉંમાં ૩.૩૦ ટકા અને શાકભાજીના ભાવમાં ૩૬.૦૨ ટકાનો ઘટાડો થયો છે.
ફુગાવો ઘટીને ૬ ટકા થશે : પ્રણવ મુખરજી
ફૂડ ઇન્ફ્લેશન ઘટીને એક ટકા કરતાં પણ ઓછો થઈ ગયો છે એને ધ્યાનમાં લઈને નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘જો ફૂડ-ઇન્ફ્લેશનમાં ઘટાડાનો ટ્રેન્ડ જળવાઈ રહેશે તો માર્ચ ૨૦૧૨ સુધીમાં ફુગાવો ઘટીને ૬ ટકાના લેવલે આવી જશે. જોકે એ છ ટકા કરતાં નીચે નહીં જાય, કારણ કે અગાઉનાં અઠવાડિયાંઓમાં ફુગાવાનું પ્રેશર વધુ હતું.