પુણે: કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, 5 મજદૂરના મોત
ભીષણ આગ - તસવીર (સૌજન્ય ANI)
આજકાલ આગના અનેક બનાવો બની રહ્યા છે, ત્યારે આજે સવારે પુણેની નજીક એક ગામમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાથી પાંચ મજદૂરોની મોત થઈ ગઈ છે. આગની સૂચના મળતા ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લાવવાના તમામ પ્રયત્ન કરી રહી છે. આગથી ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.