Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જોધપુરમાં ટ્રક-બોલેરો વચ્ચે જીવલેણ અકસ્માત:એક જ પરિવારના ૧૧ લોકોનાં મોત

જોધપુરમાં ટ્રક-બોલેરો વચ્ચે જીવલેણ અકસ્માત:એક જ પરિવારના ૧૧ લોકોનાં મોત

15 March, 2020 11:38 AM IST | Jodhpur

જોધપુરમાં ટ્રક-બોલેરો વચ્ચે જીવલેણ અકસ્માત:એક જ પરિવારના ૧૧ લોકોનાં મોત

તસવીર સૌજન્ય : PTI

તસવીર સૌજન્ય : PTI


રાજસ્થાનના જોધપુર જિલ્લામાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ-અકસ્માત થયો હતો. ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થતાં એક જ પરિવારના ૧૧ લોકોનાં મોત થયાં છે. ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પરિવાર નવદંપતીને બાલોતરાથી રામદેવરા દર્શન માટે લઈ જઈ રહ્યો હતો. તેમનાં લગ્ન ૨૭ ફેબ્રુઆરીએ થયાં હતાં. આ બનાવ શેરગઢ વિસ્તારમાં બન્યો હતો.

મૃતકોમાં છ મહિલા, ચાર પુરુષ અને એક બાળકનો સમાવેશ છે. તમામે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ઈજાગ્રસ્તો જોધપુરની હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.



પોલીસે જણાવ્યું કે અકસ્માત સવારે ૯ વાગ્યે સોઇતરામાં ગંવારિયા હોટેલ પાસે થયો છે. શેરગઢ પોલીસે ક્રેનની મદદથી ટ્રકને હટાવી હતી અને ત્યાર પછી બોલેરોમાં રહેલા લોકોને બહાર કાઢ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2020 11:38 AM IST | Jodhpur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK