'વાયુની અસર': દસ લાખ કિલો કેસર કેરીને થયું નુકસાન
'વાયુની અસર': દસ લાખ કિલો કેસર કેરીને થયું નુકસાન
ગુજરાતીઓનું પ્રિય ફળ એટલે કેરી. જો કે આ વખતે કેરીનું આગમન મોડું થયું અને તેમાં પણ વાયુ વાવાઝોડાએ કેરીની મજા બગાડી નાખી છે. વાયુ વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેનાથી કેરીના પાકને મોટું નુકસાન થયું છે.
2018માં પણ કેરીની સિઝન બહુ સારી નહોતી રહી. માર્કેટમાં 10 કિલોના એક એવા માત્ર 8 લાખ 30 હજાર બોક્સ જ વેચાયા હતા. આ વર્ષે માર્કેટમાં 9 લાખ કેરીના બોક્સ આવશે તેવી આશા હતી પરંતુ અત્યાર સુધીમાં 7 લાખ 70 હજાર બોક્સ જ આવ્યા છે. વાયુ વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું હતું.
આ પણ વાંચોઃ આ વર્ષે કેસરનો સ્વાદ પડશે મોંઘો, ચુકવવી પડશે આટલી કિંમત
ADVERTISEMENT
વાયુ વાવાઝોડાના કારણે જૂન 12, 13 અને 14ના દિવસે સૌરાષ્ટ્રભરમાં વરસાદ પડ્યો હતો તેના કારણે 1 લાખ બોક્સ બગડી ગયા અને લગભગ 10 લાખ કિલો કેસર કેરી ખાટી થઈ ગઈ છે. કેસર કેરીના સૌથી મોટા હબ ગણાતા તાલાલામાં અત્યાર સુધીમાં 7 લાખ 70 હજાર બોક્સ જ કેરીના આવ્યા છે. જૂન મહિનામાં કેસર કેરીની આવક રહે છે પરંતુ વાયુના કારણે ફળો ખાટા થઈ ગયા છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ દર વર્ષે જૂન 25 સુધી કેરીનું વેચાણ કરે છે. જે આ વર્ષે 19 જૂને જ બંધ થઈ ગયું. જેના કારણે આ વખતે ગુજરાતીઓને સ્વાદથી વંચિત રહેવું પડ્યું છે.