Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફીના મુદ્દે વિરોધ કરી રહેલા વાલીઓને એજ્યુકેશન મિનિસ્ટર ન મળ્યાં

ફીના મુદ્દે વિરોધ કરી રહેલા વાલીઓને એજ્યુકેશન મિનિસ્ટર ન મળ્યાં

18 February, 2021 01:21 PM IST | Mumbai
Mid-day Correspondent

ફીના મુદ્દે વિરોધ કરી રહેલા વાલીઓને એજ્યુકેશન મિનિસ્ટર ન મળ્યાં

વર્ષા ગાયકવાડ

વર્ષા ગાયકવાડ


લૉકડાઉનમાં સ્કૂલો ફિઝિકલી બંધ હતી, પરંતુ અનલૉક થયા બાદ પણ ઑનલાઇન શિક્ષણ જ આપવામાં આવી રહ્યું છે ત્યારે અનેક સ્કૂલો દ્વારા ટ્યુશન-ફી ઉપરાંત વધારાની લાઇબ્રેરી-ફી, લૅબોરેટરી-ફી, સ્પોર્ટ્સ-ફી અને અન્ય ઍક્ટિવિટીની ફી લેવામાં આવી રહી છે એનો વિરોધ કરવા ગઈ કાલે ફોરમ ફૉર ફેરનેસ ઇન એજ્યુકેશન નામની સંસ્થાના વડપણ હેઠળ આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સાંજ સુધી આંદોલન કર્યા બાદ પણ કોઈ પરિણામ ન આવતાં સાંજે વાલીઓ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડને મળીને તેમનું નિવેદન આપવા માગતા હતા, પણ તેઓ હાજર ન હોવાથી તેમના સ્ટાફે આવેદનપત્ર લીધું હતું. આ રીતે ગઈ કાલના આંદોલનનું કોઈ પરિણામ નહોતું આવ્યું.



જોકે આ બાબતે ફોરમ ફૉર ફેરનેસ ઇન એજ્યુકેશનના જયંત જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારો વાંધો એટલો જ છે કે સ્કૂલો દ્વારા અન્ય ઍક્ટિવિટીના નામે જે ફી લેવાય છે એ ન લેવામાં આવે. આ ઉપરાંત જે ટ્યુશન-ફી લે છે એમાં પણ માત્ર ૫૦ ટકા જ ફી સ્કૂલ દ્વારા લેવામાં આવે, કારણ કે હાલ સ્કૂલો બંધ છે અને લાઇબ્રેરી, સાયન્સ લૅબ, સ્પોર્ટ્સ જેવી બધી જ પ્રવૃત્તિઓ પણ બંધ છે એટલે એ ફી ન લેવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2021 01:21 PM IST | Mumbai | Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK