નાયર હૉસ્પિટલના ડૉક્ટરની આત્મહત્યા
પ્રતીકાત્મક તસવીર
નાયર હૉસ્પિટલના ૨૭ વર્ષના ડૉક્ટર ભિનસંદેશ તુપેએ સોમવારે રાતે અજાણ્યું ઇન્જેક્શન લઈને આત્મહત્યા કરી હતી. ઍનેસ્થેસિયોલૉજીના આ ફર્સ્ટ યરના સ્ટુડન્ટનો મૃતદેહ રાતે સાડાદસ વાગ્યે હૉસ્ટેલની તેની રૂમમાંથી મળી આવ્યો હતો. શરૂઆતની તપાસ પરથી પોલીસને એવું લાગી રહ્યું છે કે પર્સનલ પ્રૉબ્લેમને કારણે ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું હોવું જોઈએ.