પીક અવર્સમાં ટ્રેનમાં વકીલોને પરવાનગી બાબતે ટૂંકમાં નિર્ણય લેવાશે
પીક અવર્સમાં વકીલોને સબર્બન ટ્રેનોમાં પ્રવાસની છૂટ આપવા બાબતે આ અઠવાડિયામાં નિર્ણય લેવાશે, એવી માહિતી મહારાષ્ટ્ર સરકારે મુંબઈ વડી અદાલતને આપી હતી. મુંબઈના વકીલો અને તેમના કારકુનોને પીક અવર્સમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની છૂટની માગણી કરતી કેટલીક અરજીઓની સુનાવણી દરમ્યાન એડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ મુખ્ય ન્યાયમૂર્તિ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી. એસ. કુલકર્ણીની ડિવિઝન બેન્ચને ઉપરોક્ત માહિતી આપી હતી. લૉકડાઉનમાં વકીલોને તેમની કચેરીઓ અને અદાલતોમાં અવરજવર માટે સવારે ૮.૦૦ વાગ્યા પહેલાં અને ૧૧.૦૦ વાગ્યા પછી સબર્બન ટ્રેનોના ઉપયોગની છૂટ આપવામાં આવી હતી.