Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં મેનિન્જાઇટિસથી ૨૦નાં મોત : ૧૬ રાજ્યો ઝપટમાં

અમેરિકામાં મેનિન્જાઇટિસથી ૨૦નાં મોત : ૧૬ રાજ્યો ઝપટમાં

20 October, 2012 06:18 AM IST |

અમેરિકામાં મેનિન્જાઇટિસથી ૨૦નાં મોત : ૧૬ રાજ્યો ઝપટમાં

અમેરિકામાં મેનિન્જાઇટિસથી ૨૦નાં મોત : ૧૬ રાજ્યો ઝપટમાં


અમેરિકાની ફેડરલ હેલ્થ એજન્સીના જણાવ્યા પ્રમાણે ૧૬ જેટલાં રાજ્યોમાં આ રોગચાળો ફેલાયો છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દવાઓમાં ભેળસેળના કારણે આ રોગચાળો ફેલાયો હોઈ શકે છે. એફડીએ દ્વારા આ બાબતે એકસાથે અનેક રાજ્યોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રારંભિક તારણો મુજબ કેટલાક દરદીઓને ભેળસેળવાળાં સ્ટેરૉઇડનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં જેના કારણે આ રોગ ફેલાયો હતો. મેનિન્જાઇટિસના દરદીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે અગાઉ ક્યારેય આ પ્રકારનું ઇન્ફેકશન જોવામાં આવ્યું નથી. રોગના નિદાન અને સારવાર માટે અમેરિકાના ટોચના એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2012 06:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK