Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Outbreak: થાણે જીલ્લાના ચાર નગરોની સીમા સીલ

Coronavirus Outbreak: થાણે જીલ્લાના ચાર નગરોની સીમા સીલ

11 April, 2020 08:05 PM IST | Thane
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Outbreak: થાણે જીલ્લાના ચાર નગરોની સીમા સીલ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


કોરોના વાયરસ (COVID-19)ને લીધે મહારાષ્ટ્રના થાણે જીલ્લાના વહીવટી તંત્રએ અંબરનાથ, કુલગાંવ-બદલાપુર, મુરબાડ અને શહાપુર નગરોની સીમાઓ સીલ કરી દીધી હોવાનું આજે એક અધિકારીએ જણાવ્યું હતું.

શુક્રવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવેલા આદેશમાં જીલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરે કહ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટે અંબરનાથ, કુલગાંવ-બદલાપુર, મુરબાડ અને શહાપુરની બોર્ડરો સીલ કરવામાં આવે. આદેશ મુજબ, નગરમાં લોકોની અને વાહનોની અવરજવર પર સંપુર્ણ રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ શહેરોમાંથી એવા લોકોને જ અવર-જવર કરવા દેવામાં આવશે જે લોકો આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા હોય. જે આદેશનું પાલન નહીં કરે તેમના વિરુધ્ધ કડક પગલાં લેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2020 08:05 PM IST | Thane | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK