કોરોના-મેંદી
કોરોના મહેન્દી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર આજે ભારતભરમાં જનતા કરફ્યુ પાળવામાં આવશે. એક દિવસનો સંપૂર્ણ અવકાશ કોરોનાને વધુ ફેલાતો અટકાવવા માટે બહુ જરૂરી છે એવું કહેવાઈ રહ્યું છે ત્યારે અનેક લોકોએ પોતે સ્વેચ્છાએ આજે કરફ્યુ પાળશે એવી સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી છે. ‘મિડ-ડે’ના એક વાચક હેમા કાનાણીએ અમને પોતે તૈયાર કરેલી મેંદીની તસવીર મોકલી છે. એક હાથમાં માસ્ક પહેરેલા ડૉક્ટરના હાથમાં પોસ્ટર છે, ‘હું તમારા માટે કામે જાઉં છું, તમે અમારા માટે ઘરે રહો.’ બીજા હાથમાં સાંજે પાંચ વાગ્યે તાળી પાડવાનો મેસેજ મેંદીની ડિઝાઇન સાથે આપવામાં આવ્યો છે.