નવા CMએ આપ્યું સારી સેવા આપવાનું વચન: આજે ખાતાંની વહેંચણી
તેમણે રાજ્યના નાગરિકોને વધુ સારી સેવાઓ આપવા માટે ખાસ ખરડો વિધાનસભામાં લાવવાનું વચન આપ્યું હતું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનુસરતાં શપથ લીધા બાદ તરત જ કામ શરૂ કરતાં રાજ્યના ચીફ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રિયને નવા ખરડાનો મુસદ્દો તૈયાર કરવાની સૂચના આપી હતી. સોગંદવિધિ પછી પ્રથમ પત્રકાર-પરિષદને સંબોધતાં તેમણે અનેક નોંધપાત્ર બાબતો કહી હતી. ચીફ સેક્રેટરીને લોકોને સારી સેવાઓ મળે એમાટે સિટિઝન્સ ચાર્ટરરૂપી ખરડાનો મુસદ્દો તૈયાર કરવાની સૂચના આપવામાં અવી છે.
ADVERTISEMENT
એમાં જો લોકોને સંતોષકારક સેવાઓ ન મળે તો કાયદાનું શરણ લેવાની જોગવાઈ પણ રાખવામાં આવશે. આ નર્ણિય કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સની પહેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.સક્ષમ અને પારદર્શક વહીવટ આપવાની સાથે ડેવલપમેન્ટ પર ફોકસ રાખવામાં આવશે.રાજ્યની આર્થિક સ્થિતિ ઘણી નાજુક છે. અગાઉની કૉન્ગ્રેસ-NCP સરકારે આપેલાં બધાં વચનોનો અમલ કરવાનો હોય તો સરકારે બાવન હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે એમ છે. અગાઉની સરકારે ચૂંટણીની આચારસંહિતા જાહેર કરવામાં આવી એ પહેલાં લીધેલા નર્ણિયોની સમીક્ષા કરવામાં આવશે.