છત્તીસગઢના મુખ્ય પ્રધાને કેમ ખાધો કોરડાનો માર?
તસવીર સૌજન્યઃ એએનઆઈ
દિવાળીના બીજા દિવસે ઘણા રાજ્યોમાં ગોવર્ધનપૂજા કરવામાં આવી છે. મૂળભૂત રીતે આ પ્રકૃતિનો આભાર માનવા માટે થતી પૂજા છે. જેનો આરંભ ભગવાન શ્રીકૃષ્ણે કર્યો હોવાનુ મનાય છે. વ્રજભૂમિમાં તેનો પ્રારંભ થયો હતો અને એ પછી ધીરે ધીરે ભારતના બીજા વિસ્તારોમાં તેનુ પ્રચલન વધવા માંડ્યુ હતુ.
દેશના વિવિધ ભાગમાં આજે ગોવર્ધનપૂજાની ઉજવણી થઈ રહી છે ત્યારે છત્તીસગઢમાં આ તહેવારની એક અનોખી પરંપરા છે. આ પરંપરાનું આજે પણ પાલન થયુ હતુ.
ADVERTISEMENT
#WATCH छत्तीसगढ़: गोवर्धन पूजा के अवसर पर सबकी मंगलकामना के लिए मुख्यमंत्री भूपेश बघेल ने दुर्ग ज़िले के ग्राम जजंगिरी, कुम्हारी में सांटा का प्रहार झेलने की परंपरा निभाई। pic.twitter.com/8cGNhDiXSG
— ANI_HindiNews (@AHindinews) November 15, 2020
ગોવર્ધનપૂજાની પરંપરા પ્રમાણે રાજ્યના મુખ્ય પ્રધાન ગોવર્ધનપૂજા નિમિત્તે રાજ્યના લોકોની ખુશી માટે કોરડા ખાય છે. આજે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે આ પરંપરા નિભાવી હતી અને પોતાના હાથ પર કોરડાના ફટકા સહન કર્યા હતા.
हमेशा की तरह इस बार भी आज दुर्ग जिले के ग्राम जजंगिरी, कुम्हारी पहुंचकर सबकी मंगलकामना के लिए सांटा का प्रहार झेलने की परंपरा निभाई।
— Bhupesh Baghel (@bhupeshbaghel) November 15, 2020
यह सुंदर परंपरा सबकी खुशहाली के लिए मनाई जाती है। pic.twitter.com/w2XldUGinG
તેમણે સોશ્યલ મીડિયા પર પોતાની તસવીર સાથે આ વાત શેર કરી હતી.