Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છત્તીસગઢના મુખ્ય પ્રધાને કેમ ખાધો કોરડાનો માર?

છત્તીસગઢના મુખ્ય પ્રધાને કેમ ખાધો કોરડાનો માર?

15 November, 2020 06:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છત્તીસગઢના મુખ્ય પ્રધાને કેમ ખાધો કોરડાનો માર?

તસવીર સૌજન્યઃ એએનઆઈ

તસવીર સૌજન્યઃ એએનઆઈ


દિવાળીના બીજા દિવસે ઘણા રાજ્યોમાં ગોવર્ધનપૂજા કરવામાં આવી છે. મૂળભૂત રીતે આ પ્રકૃતિનો આભાર માનવા માટે થતી પૂજા છે. જેનો આરંભ ભગવાન શ્રીકૃષ્ણે કર્યો હોવાનુ મનાય છે. વ્રજભૂમિમાં તેનો પ્રારંભ થયો હતો અને એ પછી ધીરે ધીરે ભારતના બીજા વિસ્તારોમાં તેનુ પ્રચલન વધવા માંડ્યુ હતુ.

દેશના વિવિધ ભાગમાં આજે ગોવર્ધનપૂજાની ઉજવણી થઈ રહી છે ત્યારે છત્તીસગઢમાં આ તહેવારની એક અનોખી પરંપરા છે. આ પરંપરાનું આજે પણ પાલન થયુ હતુ.




ગોવર્ધનપૂજાની પરંપરા પ્રમાણે રાજ્યના મુખ્ય પ્રધાન ગોવર્ધનપૂજા નિમિત્તે રાજ્યના લોકોની ખુશી માટે કોરડા ખાય છે. આજે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે આ પરંપરા નિભાવી હતી અને પોતાના હાથ પર કોરડાના ફટકા સહન કર્યા હતા.


તેમણે સોશ્યલ મીડિયા પર પોતાની તસવીર સાથે આ વાત શેર કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2020 06:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK