ગુજરાતના જે રિસૉર્ટમાં રોકાયા કૉંગ્રેસ વિધેયક, તેના માલિક પર કેસ
કૉંગ્રેસ
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલા જ રાજનૈતિક ઉથલપુથલનો દોર શરૂ થઈ ગયો છે. ગુજરાત કૉંગ્રેસથી વધુ એક વિધેયકે રાજીનામું આપી દીધું છે. તો બીજી તરફ હવે કૉંગ્રેસ વિધેયકને રિસૉર્ટમાં રાખવામાં આવવા પર રાજકારણ ગરમાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસે પોતાના કેટલાક વિધેયકોને જે નીલ સિટી રિસૉર્ટમાં રાખવામાં આવ્યા છે તે પૂર્વ કૉંગ્રેસ વિધેયક ઇન્દ્ર નીલ રાજ્યગુરુનો છે. હવે રિસૉર્ટના માલિક પર અનલૉક 1.0ના નિયમોનું પાલન ન કરવાનો આરોપ મૂકાતાં કેસ નોંધવામાં આવ્યો છે.
દેશમાં અનલૉક 1.0 હેઠળ ઘણાં પ્રકારની છૂટ આપવામાં આવી છે. જો કે, હવે 8 જૂનથી હોટેલ, રિસૉર્ટ, મૉલ અને રેસ્ટૉરેન્ટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. એવામાં રિસૉર્ટના માલિક પર આરોપ પર આરોપ છે કે તેમણે અનલૉકના નિયમો તરફ વણજોયું વલણ અપનાવતાં કૉંગ્રેસ વિધેયકોને પોતાને ત્યાં રહેવાની પરવાનગી આપી. ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને 135 હેઠળ રિસૉર્ટના મેનેજર પર કાર્યવાહી કરવામાં આવી.
ADVERTISEMENT
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલા રાજનૈતિક ઘમાસાણ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી કૉંગ્રેસના 8 વિધેયકોએ રાજીનામું આપી દીધું છે. એવામાં અન્ય વિધેયકોને બચાવવા માટે કૉંગ્રેસે તેમને નીલ સિટી રિસૉર્ટમાં મોકલી દીધા છે. રાજ્યસભાની 18 સીટ માટે 19 જૂનના ચૂંટણી થશે, જેમાં ગુજરાતની 4 સીટ પણ સામેલ છે.
રિસૉર્ટમાં 65 વિધેયકોને રાખવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે, કૉંગ્રેસે પોતાના 65 વિધેયકોને જુદાં જુદાં ઝૉનમાં રિસૉર્ટમાં મોકલી દીધા છે. ઉત્તર ભાગના 21 વિધેયકો અમ્બાજી રિસૉર્ટમાં પહોંચ્યા છે. દરેક ઝૉનની જવાબદારી મોટા નેતાઓને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી 8 વિધેયકોએ રાજીનામાં આપી દીધા છે.