બોલીવુડ સિંગરની વિવાદિત પોસ્ટ, યોગીને અપશબ્દો તો ભાગવતને આતંકી કહ્યા
યોગીને અપશબ્દો-મોહન ભાગવતને કહ્યા આતંકી
બોલીવુડની જાણીતી સિંગર હાર્ડ કૌર ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વખતે તેણે રાજકારણીઓને ટાર્ગેટ કર્યા છે. હાર્ડ કૌરે સોશિયલ મીડિયામાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વંય સંઘના પ્રમુખ મોહન ભાગવત વિશે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. હાર્ડ કોર પહેલા પણ અલગ અલગ સેલિબ્રિટીઝ, રાજનેતાઓને લઈને એવી પોસ્ટ લખી ચૂકી છે. આ વખતે તેના શિકાર પર યોગી આદિત્યનાથ અને RSSના પ્રમુખ મોહન ભાગવત રહ્યા હતા.
ADVERTISEMENT
દેશમાં થતી આતંકી ઘટના માટે મોહન ભાગવત જવાબદાર : હાર્ડ કૌર
હાર્ડ કૌરે મોહન ભાગવતને માત્ર જાતિવાદી જ નહી પણ દેશમાં બનેલી આતંકી ઘટનાઓ માટે પણ જવાબદાર ગણાવ્યા હતા. હાર્ડ કૌરે આતંકી ઘટનાઓ માટે સીધે સીધા RSS પર આક્ષેપ લગાવ્યા હતા. હાર્ડ કૌરે 26/11, પુલવામાં અટેક માટે પણ મોહન ભાગવતને જવાબદાર ગણાવ્યા હતા. આ સિવાય હેમંત કરકરેની મૃત્યુ માટે પણ મોહન ભાગવતને જવાબદાર ગણાવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદની આકરી ગરમીને કારણે બુલેટ ટ્રેનની ડિઝાઇન બદલી
સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ
હાર્ડ કૌરે ગૌરી લંકેશ મર્ડર કેસ મામલે પણ કમેન્ટ કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામે પણ અપશબ્દો લખ્યા હતા. લોકો દ્વારા હાર્ડ કૌર દ્વારા વપરાયેલી ભાષા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. લોકોએ હાર્ડ કૌરને પણ જવાબ તેની જ ભાષામાં આવ્યો હતો. કેટલાક લોકો દ્વારા તેને ટ્રોલ કરવામાં આવી હતી જ્યારે કેટલાક લોકોએ તેના કમેન્ટ કરવા પર તેની તારીફ કરી હતી. હાર્ડ કૌર હમેંશાથી આવી બાબતો પર એક્ટિવ જોવા મળી છે આ પહેલા પણ ઘણી વાર તે આવી બાબતો પર કમેન્ટ કરી ચૂકી છે.
.