Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુધરાઈ હવે ફેરિયાઓને સ્વચ્છતાના પાઠ ભણાવશે

સુધરાઈ હવે ફેરિયાઓને સ્વચ્છતાના પાઠ ભણાવશે

31 October, 2012 05:02 AM IST |

સુધરાઈ હવે ફેરિયાઓને સ્વચ્છતાના પાઠ ભણાવશે

સુધરાઈ હવે ફેરિયાઓને સ્વચ્છતાના પાઠ ભણાવશે


રોડસાઇડ સ્ટૉલ પર ખાવાથી ગૅસ્ટ્રો, કમળો, કૉલેરા જેવી બીમારીઓ થતી હોવાથી મુંબઈની ૫૦ ખાઉગલીઓમાં આ અઠવાડિયાથી સુધરાઈ અને ફૂડ ઍન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ફેરિયાઓને કેવી રીતે વાનગીઓ બનાવવી, એ બનાવતી વખતે શું કાળજી રાખવી, બનેલી વાનગીઓ કઈ રીતે ઢાંકવી, કેવી રીતે પીરસવી એ બાબતે મહત્વની સૂચનાઓ આપશે. આ માટે પહેલાં રેલવે-સ્ટેશનો, મહત્વની સરકારી ઑફિસો, કૉલેજો અને ટૂરિસ્ટ-સ્પૉટ પાસેની ખાઉગલીની પસંદગી કરવામાં આવી છે. એમાં ભુલેશ્વર, દાદરની છબીલદાસ ગલી, શેખ મેમણ સ્ટ્રીટ, વિલે પાર્લે‍ની મીઠીબાઈ કૉલેજ, દાદીશેઠ અગિયારી લેન જેવી મુખ્ય ખાઉગલીનો સમાવેશ છે. જો આ પ્રોજેક્ટ સફળ જશે તો મુંબઈભર ફેલાવવામાં આવશે એમ સુધરાઈ એ જણાવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2012 05:02 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK