Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીએમસીના અસિસ્ટન્ટ કમિશનર અશોક ખૈરનારનું કોરોનાના કારણે નિધન

બીએમસીના અસિસ્ટન્ટ કમિશનર અશોક ખૈરનારનું કોરોનાના કારણે નિધન

12 July, 2020 10:45 AM IST | Mumbai Desk
Mumbai correspondent

બીએમસીના અસિસ્ટન્ટ કમિશનર અશોક ખૈરનારનું કોરોનાના કારણે નિધન

અશોક ખૈરનાર

અશોક ખૈરનાર


મુંબઈ મહાનગરપાલિકાના એચ ઈસ્ટ વૉર્ડના ૫૭ વર્ષના અસિસ્ટન્ટ કમિશનર અશોક ખૈરનારનું ગઈ કાલે કોરોનાના કારણે નિધન થયું હતું. ફોર્ટિસ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર, પુત્રવધૂ, એક ભાઈ અને બે બહેનોનો સમાવેશ થાય છે.
સાંતાક્રુઝ-ઈસ્ટને આવરી લેતા પાલિકાના એચ ઈસ્ટ વૉર્ડમાં કોરોનાના કેસ ડબલ થવાનો દર ૧૩૪ દિવસનો છે જે મુંબઈ મહાનગરપાલિકા જ નહીં, દેશમાં સર્વોત્તમ છે. એમ છતાં, તેના જ અસિસ્ટન્ટ કમિશનરનો ભોગ કોરોનામાં લેવાયો છે. કોરોનાના દરદીઓની સંખ્યામાં વધારો ન થાય એ માટે તેમણે બહુ જ પ્રયાસ કર્યા હતા અને તેમને એમાં સફળતા મળી હતી.
ધુળે જિલ્લાના મોહાડીના મૂળ રહેવાસી એવા અશોક ખૈરનારે શાળાકીય શિક્ષણ મોહાડીમાં જ લીધું હતું. ત્યાર બાદ દેશભરમાં જાણીતી મુંબઈની વીજેટીઆઇમાંથી એન્જિનિયરિંગ અને આઇઆઇટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. ૧૯૮૮થી તે મુંબઈ મહાનગરપાલિકામાં વિવિધ હોદ્દા પર ફરજ બજાવતા હતા. ૨૦૧૮માં તેઓ અસિસ્ટન્ટ કમિશનર બન્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

12 July, 2020 10:45 AM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK