બીજેપીના માનવા મુજબ આ આખો મતવિસ્તાર ગુજરાતી-મારવાડીઓ અને વેપારીઓથી ભરેલો છે જે બીજેપીને સમથન આપે છે એટલે શિવસેનાએ તેમને આ મતવિસ્તાર પાછો આપીને એને બદલે તેમણે નૉર્થ-સેન્ટ્રલ મુંબઈની સીટ રાખવી જોઈએ.
એક સમયે બીજેપીનાં જયવંતીબહેન મહેતા જેનું નેતૃત્વ કરતાં હતાં એ સાઉથ મુંબઈનો લોકસભા મતવિસ્તાર છેલ્લી ચૂંટણીમાં ડીલિમિટેશન થવાને લીધે શિવસેનાના ભાગે આવ્યો હતો અને ૨૦૦૯ની ચૂંટણીમાં શિવસેના તરફથી ચૂંટણી લડેલા મોહન રાવલે કૉન્ગ્રેસના મિલિંદ દેવરા સામે હારી ગયા હતા. ત્યારથી બીજેપીના અમુક નેતાઓ આ બેઠક પોતાને પાછી આપવાની માગણી કરી રહ્યા છે.
સીટની અદલાબદલી કરવાની બીજેપીની માગણી સામે શિવસેનાના એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘આ બાબત સેનાના હાઈ કમાન્ડ નક્કી કરશે અને પાર્ટીના વર્કરોના સેન્ટિમેન્ટ્સને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવશે. રાતોરાત આના પર કોઈ નિર્ણય નહીં લેવાય એટલું ચોક્કસ છે.’
ટાંકા લેવા માટે વપરાતા દોરાનું ડુપ્લિકેટિંગ કરીને વેચવા બદલ મેડિકલ સ્ટોર્સ પર રેઇડ
20th January, 2021 12:04 ISTગ્રામ પંચાયતની ચૂંટણીનાં રિઝલ્ટની અસર: સૌથી વધુ બેઠક મેળવવા છતાં બીજેપી માટે આગળ કપરાં ચઢાણ
20th January, 2021 12:00 ISTકોલાબાના ચોકમાં બાળાસાહેબ ઠાકરેના પૂતળાનું વિવાદ વચ્ચે અનાવરણ
20th January, 2021 11:38 ISTબીએમસીએ મધ્યમ વર્ગને આપ્યો વધારે એક ઝાટકો
20th January, 2021 11:29 IST