Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહે કાર્યકર્તાઓને આપ્યા ચૂંટણી જીતવા માટેના મંત્રો

અમિત શાહે કાર્યકર્તાઓને આપ્યા ચૂંટણી જીતવા માટેના મંત્રો

12 February, 2019 02:27 PM IST |

અમિત શાહે કાર્યકર્તાઓને આપ્યા ચૂંટણી જીતવા માટેના મંત્રો

અમિત શાહ

અમિત શાહ


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં લોકસભા ઈલેક્શનની શરુઆત કરી છે. અમિત શાહે તેમના નિવાસસ્થાને ભાજપનો ઝંડો ફરકાવીને પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટણી માટે તૈયાર થવા કહ્યું હતું. અમદાવાદના પંડિત દીનદયાલ હોલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને ભાજપને જીતાડવાનો સંકલ્પ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો . નેતાઓ , કાર્યકર્તાઓ, કોર્પોરેટરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અમિત શાહે કાર્યકરોને નરેન્દ્ર મોદીને ફરી સત્તામાં લાવવા અને ચૂંટણી જીતાડવા માટે 10 મંત્રો આપ્યા હતા.

જીતના મંત્રો જે અમિત શાહે આપ્યા



- દેશભરના ભાજપના 5 કરોડ જેટલા કાર્યકર્તાઓ તેમના ઘરે ભાજપનો ઝંડો ફરકાવી ચૂંટણીનો શંખનાદ ફૂંકી નરેન્દ્ર મોદીની સાથે હોવાનું જાહેર કરશે.


- ભાજપના કાર્યક્રમો અને નરેન્દ્ર મોદીના નિવેદનોો સોશિયલ મીડિયામાં શૅર કરવા.

- મેરા પરિવાર, મેરા ભાજપ પરિવાર, મહાસંકલ્પ અભિયાન, કમલ જ્યોતિ અને વિજય સંકલ્પ ચાર કાર્યક્રમો થકી દરેક કાર્યકર્તાઓએ જોમ મુકીને ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ.


- ચૂંટણીના મુદ્દાઓને જનતા વચ્ચે લઈ જાઓ. ચાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા છે અને આ જ કાર્યક્રમો થકી ભાજપ જીત મેળવશે. દરેક રાજ્યમાં વિજય સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે.

- 2014માં ભાજપ 26 સીટો જીત્યું હતું અને આ વખતે પણ આપણે ઈતિહાસનું પુનરાવર્તન કરવાનું છે.

 

આ પણ વાંચો: PM મોદીએ અનિલ અંબાણીના વચેટિયા તરીકે કર્યું કામઃ રાહુલ ગાંધી

 

- સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોચીશું.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2019 02:27 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK