સંસદસભ્ય મનસુખ વસાવાએ રાજીનામું પાછું ખેંચ્યું
પ્રતીકાત્મક તસવીર
ભરૂચ લોકસભાના સંસદસભ્ય મનસુખ વસાવાએ બીજેપીમાંથી રાજીનામું આપ્યા બાદ બુધવારે સવારે ગાંધીનગર આવીને રાજ્યના મુખ્ય પ્રધાન રૂપાણી સાથે બેઠક કરી હતી. ગઈ કાલે સાંસદ મનસુખ વસાવા મુખ્ય પ્રધાન રૂપાણીને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને આખરે તેઓ માની ગયા હતા અને તેમણે રાજીનામું પરત ખેંચ્યું હતું. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સરકાર કે પક્ષ તરફથી કોઈ તકલીફ નથી, પરંતુ મારી નાદુરસ્ત તબિયતના કારણે મેં ગઈ કાલે રાજીનામું આપ્યું હતું.