વધુ એક 'સુશાંત': બિહારના એક્ટર અક્ષતનું મુંબઇમાં શંકાસ્પદ નિધન
અક્ષત ઉત્કર્ષ (તસવીર સૌજન્ય ફેસબૂક અકાઉન્ટ)
એક્ટર સુશાંત સિંહ (Sushant Singh Rajput) રાજપૂતના નિધનનો કોયડો હજી ઉકેલાયો નથી ત્યાં મુંબઇમાં બિહાર (Bihar)ના વધુ એક એક્ટર અક્ષત (Akshat Utkarsh) ઉત્કર્ષનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં નિધન થયું છે. પરિવારજનોનો આરોપ છે કે અક્ષતની હત્યા કરવામાં આવી છે. તેમણે મુંબઇ (Mumbai Police) પોલીસ પર સહયોગ ન કરવાનો આરોપ મૂક્યો છે. મુંબઇ પોલીસે પરિવારજનોને અક્ષતના નિધન મામલે નોંધાયેલી પ્રાથમિકતાઓની કૉપી પણ આપી નથી. અક્ષત મૂળે મુઝફ્ફરપુરના સિકંદરપુરના રહેવાસી હતા. મંગળવારે સવારે પરિવારજનો અક્ષતના શબને લઈને પ્લેનથી પટના ઍરપોર્ટ પહોંચ્યા. અહીંથી પરિવારજન મૃતદેહને મુઝફ્ફરપુર લઈ ગયા.
સાથે રહેતી છોકરીએ ફોન કરીને આપી સૂચના
અક્ષતના મામા રંજૂ સિંહે કહ્યું કે આખી ઘટના શંકાસ્પદ છે. અક્ષતે રવિવારે રાતે પોણા નવ વાગ્યે પિતા વિજયંત કિશોર સાથે વાત કરી હતી. તે જ રાતે સાડા દસથી 11 વાગ્યા વચ્ચે તેમના નિધનના સમાચાર મળ્યા. અક્ષત સાથે રહેતી તેની મહિલા મિત્ર સ્નેહા ચૌહાણે પરિવારજનોને ફોન કરીને ઘટનાની માહિતી આપી. સ્નેહા મૂળ રૂપે નોએડાની રહેવાસી છે. સ્નેહાએ અક્ષતના કઝિનને ફોન કરીને કહ્યું કે અક્ષતે ગળેફાંસો ખાધો છે.
ADVERTISEMENT
કોઇ જાડા ટુવાલથી ફાંસી કેવી રીતે ખાઇ શકે?
સૂચના મળ્યા પછી અક્ષતના પરિવારજનો સોમવારે મુંબઇ ગયા. પરિવારના સભ્યો પ્રમાણે ફાંસી ખાધા પછી અક્ષતને ગંભીર સ્થિતિમાં મુંબઇના કોકિલાબેન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાંથી ગંભીર સ્થિતિ જોઇ તેને કૂપર હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યા. કૂપર હૉસ્પિટલમાં અક્ષતનું નિધન થઈ ગયું. પરિવાર જનોએ આરોપ મૂક્યો છે કે 6 ફૂટ હાઇટ ધરાવતો અક્ષય જાડા ટુવાલથી ફંદો લગાડીને કેવી રીતે મૃત્યુ પામી શકે છે? અક્ષતે આપઘાત નથી કર્યો. તેની હત્યા કરી દેવામાં આવી છે.
પ્રાઇવેટ કંપનીમાં કામ કરવાની સાથે એક્ટિંગ પણ કરતો હતો અક્ષત
અક્ષત બે વર્ષ પહેલા મુંબઇના અંધેરી વેસ્ટમાં રહેતો હતો. તેણે એમબીએ કર્યું હતું. મુંબઇમાં પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરવાની સાથે તે એક્ટિંગ પણ કરતો હતો. આગામી ફિલ્મ 'લિટ્ટી ચોખા'માં તેણે એક પાત્ર ભજવ્યું હતું.