ભારતના વિકાસનું પ્રતીક છે જૈન સમાજ
ગોરેગામમાં આવેલા નેસ્કો હૉલમાં જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (JITO) દ્વારા આયોજિત બિઝનેસ કૉન્ક્લેવ તેમ જ ટ્રેડ ફેર જીતો ઉડાનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં વાઇફ અમૃતા ફડણવીસે કહ્યું હતું કે ‘સામાજિક વિકાસ માટે વ્યાવસાયિક વિકાસ બહુ જ જરૂરી છે અને જૈન સમાજે આ દિશામાં અત્યાર સુધી જે પ્રયાસ કર્યો છે એને કારણે સમાજમાં વિકાસનો અવસર વધ્યો છે. જૈન સમાજ વ્યાવસાયિક નેતૃત્વની ક્ષમતાથી ભરપૂર સમાજ છે જે તેમની સાથે દરેક વર્ગના લોકોના વિકાસ માટે પ્રયાસ કરે છે.’ અમૃતા ફડણવીસે જૈન સમાજને ભારતના વિકાસ અને સામાજિક પ્રગતિનો આયનો દર્શાવ્યો હતો.